- એક દિવસમાં કેટલા બદામનું સેવન કરવું જોઈએ
- મોટા ભાગના લોકો આ રીતે બદામનું સેવન કરે છે
- બદામની છાલ ઉતારવાનું ટાળવું જોઈએ
બદામ બજારમાં આરામથી મળી રહે છે. બદામ ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો તેને વિટામિન અને મિનરલ્સનો ખજાનો કહે છે. કારણકે તેના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય છે. બદામમાં વિટામિન E, મેગ્નેશિયમ, મેંગેનીઝ, કોપર, ફોસ્ફરસ, પ્રોટીન, ફાયબર અને ફેટ જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે.
ખરાબ કોલેસ્ટ્રોલ
બદામનાં સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે. તે હ્રદયનાં સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં આવે છે.
એક દિવસમાં કેટલા બદામનું સેવન કરવું જોઈએ
ઘણા લોકો જાણવા માંગતા હોય છે કે એક દિવસમાં કેટલા બદામનું સેવન કરવું જોઈએ. સ્વાસ્થ્ય નિષ્ણાંત મુજબ, એક વ્યક્તિએ દરરોજ 28-30 ગ્રામ એટલે કે 22-23 બદામ ખાવા જોઈએ.
વજન નિયંત્રણમાં રાખે
એક અભ્યાસ મુજબ દરરોજ બદામનું સેવન કરવામાં આવે તો કમરની ચરબી ઓછી થઈ જાય છે અને વજન પણ નિયંત્રણમાં રહે છે.
મોટા ભાગના લોકો આ રીતે બદામનું સેવન કરે છે
ઘણા લોકો જાણવા માંગતા હશે કે બદામને તેની છાલ સાથે ખાવા જોઈએ કે છાલ નિકાળીને. સ્વાસ્થ્ય નિષ્ણાંત મુજબ, જ્યારે પણ લોકોને પૂછવામાં આવે કે તે બદામનું સેવન કેવી રીતે કરે છે? ત્યારે મોટાભાગના લોકો જમતા પહેલા પલાળેલી બદામની છાલ નિકાળીને ખાય છે. બદામને પલાળવું ઠીક છે કારણકે તે બદામના સૂક્ષ્મ પોષકતત્વોના શોષણમાં મદદ કરે છે.
બદામની છાલ ઉતારવાનું ટાળવું જોઈએ
સ્વાસ્થ્ય નિષ્ણાંતનું કહેવું એવું છે કે બદામની છાલ ઉતારવાનું ટાળવું જોઈએ. તેનું કારણ એ છે કે બદામ ફાયબરનો સારો સ્ત્રોત છે. જો તમે છાલ કાઢી નાખો છો, તો તમે બદામમાંથી ફાયબર દૂર કરી રહ્યા છો. તેથી બદામનું સેવન તેની છાલ સાથે જ કરવું જોઈએ.