જ્યોતિષ શાસ્ત્રમાં શનિને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. જે વ્યક્તિના જેવા કર્મ હોય છે. એને એ પ્રમાણે ફળ મળે છે. પછી એ વાત સારા કર્મોની હોય કે ખરાબ. એવું પણ માનવામાં આવે છે કે જેનો શનિ કમજોર હોય છે, એણે ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે, ત્યાં જ જેનો શનિ મજબૂત હોય છે, એને કીર્તિ અને વૈભવ મળે છે. વર્ષ 2024માં શનિદેવ ત્રણ વખત પોતાની ચાલ બદલશે, જેની ઘણી રાશિઓ પર અસર જોવા મળશે.
શનિના ચાલ બદલવાથી કઈ રાશિના જાતકોને લાભ થઈ સકે છે.
શનિદેવની સ્થિતિ
હવે શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન છે. 11 ફેબ્રુઆરીના દિવસે શનિદેવ અસ્ત થસે અને 18 માર્ચે ઉદય થસે. 29 જૂનથી શનિદેવ વક્રી અવસ્થામાં આવશે. કેટલીક રાશિના જાતકો માટે શનિદેવની ચાલ અસુભ પરિણામ લાવી શકે છે, તો ચાલો એ રાશિઓ અંગે વાત કરી જેમના માટે શનિદેવની બદલતી ચાલ ફાયદાકારક રહેશે.
1. વૃષભ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃષભ રાશિના લોકોને ફાયદો થઈ શકે છે. તેમની લવ લાઈફ સારી રહેશે. વેપારમાં સમસ્યાઓ ઓછી થશે. ક્યાંકથી આર્થિક લાભ થઈ શકે છે.
2. સિંહ રાશિ
સિંહ રાશિના લોકો પર પણ શનિદેવની ચાલનો સકારાત્મક પ્રભાવ પડશે. આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે. તમારા કરિયરમાં આવી રહેલી સમસ્યાઓનો અંત આવી શકે છે. સાથે જ વેપાર કરતા લોકોને પણ ફાયદો થઈ શકે છે.
3. કુંભ રાશિ
શનિદેવના કારણે કુંભ રાશિના લોકો માટે પણ આ વર્ષ સારું રહી શકે છે. ધાર્મિક ક્ષેત્રે તમારી રુચિ વધશે. આ સમય દરમિયાન લોકો આર્થિક મદદ માટે આગળ આવી શકે છે. વર્ષ 2024 તમારા માટે બિઝનેસની દૃષ્ટિએ પણ સારું રહેશે.