Homeધાર્મિકપૂજા કરતી વખતે અને...

પૂજા કરતી વખતે અને મંદિરમાં પ્રવેશ કરતી વખતે ઘંટ કેમ વગાડવો જોઈએ? જાણો કારણ

વારાણસી, ઉત્તરપ્રદેશ: સનાતન ધર્મમાં પૂજા-પાઠને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. પોતાના ઈષ્ટદેવને યાદ કરવા તેમજ તેમની કૃપા મેળવવા માટે લોકો પૂજા-પાઠનો સહારો લે છે. મંદિરો અને ઘરોમાં થતી પૂજા દરમિયાન તેમજ ભગવાનને ભોગ ચઢાવતી વખતે ઘંટડી અને ઘંટ વગાડવામાં આવે છે. ખૂબ ઓછા લોકો જાણતા હશે કે, મંદિરો અને ઘરોમાં પૂજા દરમિયાન ઘંટડી કે ઘંટ કેમ વગાડવામાં આવતા હોય છે.

સનાતન ધર્મમાં આ ઘંટડી અને ઘંટ વગાડવાનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રોમાં પણ ઘંટડી અને ઘંટ વગાડવાના અનેક ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. આ ફાયદા વિશે કાશીના વિદ્વાન અને જ્યોતિષાચાર્ય પંડિત સંજય ઉપાધ્યાયે માહિતી આપી છે.

ઘંટડી વગાડવાના ફાયદા

કાશીના વિદ્વાન અને જ્યોતિષાચાર્ય પંડિત સંજય ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ઘંટડી વગાડતાં પહેલાં દેવી-દેવતાઓને યાદ કરવામાં આવે છે અને દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે. પૂજા બાદ ઘંટડી વગાડવામાં આવે છે. સનાતન ધર્મના ધાર્મિક પુસ્તકોમાં ઘંટડી વગાડવાના ફાયદા વિશે સવિસ્તાર જણાવવામાં આવ્યું છે. ઘંટડી વગાડવાથી આપણી આસપાસની દુષ્ટ શક્તિઓ પણ નાશ પામે છે અને સકારાત્મક ઊર્જાનું પણ વહન થાય છે. આ કારણોથી મંદિરોમાં અને ઘરોમાં પૂજા દરમિયાન અને પછી ઘંટડી વગાડવામાં આવે છે.

ઘંટ વગાડવાના ફાયદા

મંદિરમાં પ્રવેશ કરતી વખતે ઘંટ વગાડવાનો પણ ખૂબ જ મહિમા છે. ઘંટ વગાડવાથી જે ધ્વનિ નીકળે છે, તે તમારા શરીરના 7 ચક્રોને સક્રિય કરવામાં મદદરૂપ થાય છે, જે સકારાત્મક ઊર્જાનું સંચાર કરે છે. મંદિર પ્રવેશતી વખતે ઘંટ વગાડવાથી તમારો સંદેશો તેમજ મહેચ્છા સીધી ઈશ્વરને પહોંચે છે અને તમારી મહેચ્છાઓ પૂર્ણ થાય છે. ઘંટ વગાડવાથી તન તેમજ મન પવિત્ર થઈ જાય છે,

સનાતન ધર્મમાં ઘંટ અને ઘંટડીનું અનન્ય મહત્વ

આ કારણોસર મંદિરમાં પ્રવેશતી વખતે ઘંટ અને પૂજા સમયે ઘંટડી વગાડવાની પરંપરા છે. ઈશ્વરની સામે પોતાની મનોકામના અને હાજરી રજૂ કરવા માટે હિંદુ ધર્મમાં ઘંટ અથવા ઘંટડી વગાડવામાં આવે છે. આથી ઘંટ અને ઘંટડીનું હિંદુ ધર્મમાં અનન્ય મહત્વ ગણવામાં આવ્યું છે.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...