શનિ એક ક્રૂર ગ્રહ છે. પરંતુ જન્મ કુંડળીમાં શનિ ઉચ્ચ સ્થિતિમાં શુભ ફળ પ્રદાન કરે છે. શનિને કર્મફળદાતા કહેવામાં આવે છે. શનિ સારા કર્મો કરવા વાળા જાતકોને સારા ખરાબ કર્મના હિસાબે ફળ આપે છે. તો ચાલો જાણીએ કર્ક અને વૃશ્ચિકના જાતકોને શનિની ઢૈયાથી ક્યારે મુક્તિ મળશે. શનિ સૌથી ધીમી ગતિનો ગ્રહ છે. શનિ લગભગ અઢી વર્ષ સુધી કોઈપણ રાશિમાં રહે છે.
આ જ કારણ છે કે શનિને એક રાશિચક્ર પૂર્ણ કરવામાં લગભગ 30 વર્ષનો સમય લાગે છે. શનિએ મકર રાશિ છોડીને 17 જાન્યુઆરી, 2023 ના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો, ત્યારથી તે આ રાશિમાં સ્થિત છે. આવતા વર્ષે, શનિ કુંભ રાશિમાંથી બહાર નીકળીને 29 માર્ચ 2025ના રોજ મીન રાશિમાં ગોચર કરશે.
કર્ક અને વૃશ્ચિક રાશિ પછી આ રાશિઓ શનિ ઢૈયાના પ્રભાવમાં આવશે
વર્ષ 2025 માં શનિના ગોચરથી સિંહ અને ધન રાશિ પર શનિ ઘૈયા શરૂ થશે. કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકોને ઢૈયાથી મુક્તિ મળશે.
આ રાશિઓમાં ચાલી રહી છે શનિની સાડાસાતી – હાલમાં મકર રાશિમાં શનિની સાડાસાતીનો અંતિમ ચરણ ચાલી રહ્યો છે. કુંભ રાશિમાં શનિની સાડાસાતીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. મીન રાશિમાં શનિની સાડાસાતીનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે.