આજના સમયમાં ધન વિના જીવન શક્ય નથી. ઓછું કે વધારે દરેક વ્યક્તિને ધનની જરૂરિયાત હોય છે. તેથી લોકો અલગ અલગ રીતે ધન કમાતા હોય છે પરંતુ ઘણા લોકો સારું ધન કમાય છે છતાં ઘરમાં બરકત દેખાતી નથી. ઘરમાં સતત આર્થિક સમસ્યા રહે છે કારણ કે આવક કરતા ખર્ચ વધારે હોય છે આવી સ્થિતિ હોય તો તેને બદલવા માટે અને ઘરમાં બરકત વધે તે માટે પાંચ અસરકારક ઉપાય કરી શકો છો.
શાસ્ત્રો અનુસાર આ ઉપાય કરવાથી ઘરમાં ધનની આવક અને બચત બંને વધે છે.
ઘરમાં બરકત લાવતા 5 ઉપાય
1. સૌથી પહેલો ઉપાય કપૂરનો છે. પૂજા પાઠમાં કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં કપૂરને સકારાત્મક ઉર્જા વધારનાર માનવામાં આવે છે. શાસ્ત્ર અનુસાર અઠવાડિયામાં એક વખત ઘરમાં કપૂર અચૂક સળગાવવો. જો આ કામ રવિવાર અથવા શુક્રવારે કરો છો તો સૌથી સારું.
2. બીજો ઉપાય સરસવના તેલનો છે. સંધ્યા સમયે પૂજા કરો ત્યારે સરસવના તેલનો દીવો કરો અને તેમાં બે લવિંગ ઉમેરી દો. રોજ આ દીવો ઘરમાં કરવાથી ઘરમાં ધનની આવક વધે છે.
3. ત્રીજો ઉપાય રોટલીનો છે. જ્યારે પણ ઘરમાં રોટલી બનાવો તો પહેલી રોટલી તવા પર નાખતા પહેલા તેના પર દૂધ છાંટો. ત્યાર પછી રોટલી બનાવો. પહેલી બનેલી રોટલી ગાય માતાને ખવડાવો. આ ઉપાય કરવાથી ઘરમાં સમૃદ્ધિ અને ધન વધે છે.
4. ઘરમાં બરકત વધારવી હોય તો તુલસીનો ઉપાય પણ અસરકારક છે. તુલસીના ઉપાયથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. શાસ્ત્ર અનુસાર નિયમિત રીતે તુલસીમાં જળ અર્પણ કરી તેની પાસે દીવો કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે.
5. સનાતન ધર્મમાં દાનને સૌથી શ્રેષ્ઠ કર્મ માનવામાં આવ્યું છે. દાન જીવનમાં સુખ સમૃદ્ધિ વધારે છે. રોજ શક્ય ન હોય તો એક દિવસ નક્કી કરી લેવો. તે દિવસે જરૂરિયાતમંદને અનાજ, કપડા, પૈસા વગેરેનું દાન યથાશક્તિ કરવું.