જેઠ માસની અમાસની તિથિ પર શનિદેવનો જન્મ થયો હતો. આ દિવસે શનિ જયંતિના નામથી ઓળખાય છે. આ પવિત્ર દિવસ પર શનિદેવની પૂજા અર્ચના કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ વર્ષે 6 જૂનના રોજ શનિ જયંતિ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, શનિદેવ કર્મફળ દાતા છે. શનિદેવ કર્મોના હિસાબે ફળ આપે છે. શનિ જયંતિના દિવસે અશુભ પ્રભાવોથી મુક્તિ મેળવવા શનિદેવની વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ.
જ્યોતિષમાં શનિદેવને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. શનિદેવ ન્યાયના દેવતા પણ છે અને તમામ ગ્રહોમાં સૌથી ધીમી ચાલ ચાલે છે. શનિના અશુભ હોવા પર વ્યક્તિને દરેક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
આ સમયે મીન રાશિમાં સાડાસાતીનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. શનિની સાડાસાતીનો પહેલો સૌથી વધુ ખતરનાક હોય છે. સાડાસાતીના પહેલા ચરણમાં વ્યક્તિએ પોતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. શનિની સાડાસાતી ઉપરાંત શનિની ઢૈયા લાગવા પર પણ વ્યક્તિને કોઈ પણ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. વૃશ્ચિક અને કર્ક રાશિ પર શનિની ઢૈયા ચાલી રહી છે. શનિની ઢૈયા લાગવા પર વ્યક્તિને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે કઈ રીતે પૂજા અર્ચના કરવી.
આ પવન દિવસ પર જલ્દી ઉઠી સ્નાન વગેરે કરી નિવૃત્ત થઇ જાઓ.
ઘરના મંદિરમાં દીવો પ્રજ્વલિત કરો.
શનિદેવના મંદિર જાઓ.
શનિદેવને તેલ, પુષ્પ અર્પિત કરો.
શનિ ચાલીસાનો પાઠ કરો.
જો શક્ય હોય તો આ દિવસે વ્રત પણ કરો
આ પવિત્ર દિવસે દાન પણ કરો. ધાર્મિક માન્યતાઓ અનુસાર, દાન કરવાની અતિ શુભ ફળ મળે છે.
શનિદેવને પ્રસન્ન કરવા માટે આ મંત્રનો જાપ કરો –
“ઓમ શં અભયહસ્તાય નમઃ”
“ઓમ શં શનૈશ્ચરાય નમઃ”
“ઓમ નીલંજનસમભસ્મ રવિપુત્રમ યમગ્રજન છાયામર્તાન્દસંભૂતમ્ તમ નમામિ શનૈશ્ચરમ્”