હિન્દુ પંચાંગ પ્રમાણે ઉત્તર ભારતમાં જેઠ મહિનાની શરૂઆત થઇ ચુકી છે. આ મહિનામાં હિન્દુ સનાતન ધર્મમાં માનતા લોકો ઘણા બધા વ્રત અને તહેવારોની ઉજવણી કરશે. જ્યોતિષ ગણના અનુસાર, આ માસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મહિને હનુમાનજી સાથે વરુણ દેવ અને ભગવાન સૂર્યની પૂજા કરવાનું વિધાન છે. જેઠ મહિનામાં આવતા બધા જ મંગળવારને મોટો મંગળ કે બુઢવા મંગલ તરીકે ઓળખવામાં આવે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જેઠ મહિનાના પ્રથમ મંગળવારે ઘણા અદભુત સંયોગોનું નિર્માણ થઇ રહ્યું છે. જેનો પ્રભાવ દેશ દુનિયાની બધી જ 12 રાશિઓ પર પડશે.
અયોધ્યાના જ્યોતિષ કલ્કી રામ જણાવે છે કે, જેઠ મહિનાનો પહેલો મોટો મંગળ 28 મેના રોજ છે. આ દિવસે ઘણા શુભ યોગ રચાઈ રહ્યા છે, જેમાં બ્રહ્મ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યા છે. જેની અસર 12 રાશિના જાતકો પર પડશે. મોટા મંગળના દિવસે 3 રાશિઓના જાતકો પર પવન પુત્ર હનુમાનજીની વિશેષ કૃપા બની રહેશે, જેમાં સિંહ રાશિ, મેષ રાશિ અને વૃશ્ચિક રાશિના જાતકોનો સમાવેશ થાય છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો પર હનુમાનજીની વિશેષ કૃપા રહેશે. મેષ રાશિના આરાધ્ય હનુમાનજી છે, ત્યારે મોટા મંગળવારે બિઝનેસ સાથે મેષ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે. તંગી દૂર થશે, ધાર્મિક કાર્યોમાં રસ વધશે અને દરેક કાર્યમાં સફળતા મળશે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોને દરેક પરિસ્થિતમાં હનુમાનજીનો સાથ મળશે. તેમજ તેમનું અટકેલું કાર્ય પૂર્ણ થશે. તેમના જીવનમાં ખુશીઓ આવશે, તેમજ તેઓ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવશે. સિંહ રાશિના જાતકોને બજરંગબલીનો સાથ અને સહકાર મળશે, તેમજ દાંપત્ય જીવનમાં મીઠાશ રહેશે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ સારો રહેશે. તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે અને તમારા વેપારમાં વૃદ્ધિ પણ થશે. વૃશ્ચિક રાશિના જાતકોની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થશે. સાથે જ અટવાયેલું કામ પૂરું થશે.