9 ગ્રહોમાં શનિદેવનું વિશેષ મહત્વ રહ્યું છે. તેમને કર્મ અને ન્યાયના ફળ આપનાર માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે લોકોના કાર્ય સારા હોય છે તેમને શુભ ફળ મળે છે અને જેમના કાર્યો ખરાબ હોય છે તેમને અશુભ ફળ મળે છે. પરંતુ જરૂરી નથી કે શનિદેવ હંમેશા લોકો પર ખરાબ નજર રાખે છે. જો શનિદેવ તમારાથી પ્રસન્ન છે તો તમને 4 સંકેત મળે છે, જે તમારા માટે શુભ સાબિત થઈ શકે છે.
4 સંકેતોથી ઓળખો કે શનિદેવ પ્રસન્ન છે
1. કાળો કૂતરો જોવા મળે
જો તમે ઘરની બહાર જઈ રહ્યા હોવ અને તમને કાળો કૂતરો દૂધ પીતો દેખાય તો સમજી લેવું કે શનિદેવ તમારાથી પ્રસન્ન છે. તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં આવનારી સમસ્યાઓનો ધીમે ધીમે તેનો અંત આવી રહ્યો છે.
2. ભિખારી દેખાય છે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે ઘરની બહાર નીકળતી વખતે ભિખારીને કંઈક ખાતા જુઓ તો તેને પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. આ એક સંકેત છે કે શનિદેવની કૃપા તમારા પર બનેલી રહેશે. આ સિવાય તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થવાનો છે.
3. ગાય આવી રીતે દેખાય
જો તમે ઘરની બહાર નીકળતી વખતે કાળી ગાયને દૂધ આપતી જુઓ તો તે પણ શુભ સંકેત માનવામાં આવે છે. એ દર્શાવે છે કે શનિદેવ તમારાથી પ્રસન્ન છે. આ નિશાનીને જીવનમાં સુખ-સમૃદ્ધિનું માનવામાં આવે છે.
4. કાગડા આવી રીતે દેખાય
જો ઘરની બહાર નીકળતી વખતે કાગડો પાણી પીતો જોવા મળે તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે. કાગડાનું દર્શન પણ પૂર્વજોના પ્રસન્ન રહેવાની નિશાની માનવામાં આવે છે. આ એક સંકેત છે કે તમારા પૂર્વજોના આશીર્વાદ તમારા પરિવાર પર રહેશે.