નિર્જલા એકાદશી, જે વિશ્વના પાલનહાર ભગવાન વિષ્ણુને ઝડપથી પ્રસન્ન કરે છે, તે તમામ એકાદશી તિથિઓમાં સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ એકાદશી વ્રત તમામ એકાદશી વ્રતમાં સૌથી કઠિન છે.
કારણ કે આ એકાદશી પર પાણી પીધા વિના નિર્જળ રહીને ઉપવાસ કરવામાં આવે છે. આ વર્ષે નિર્જલા એકાદશીનું વ્રત 18મી જૂને છે.નિર્જલા એકાદશીની શુભ તિથિ કઈ છે અને પારણાનો સમય કયો છે.
તેમજ નિર્જલા એકાદશીનું શું મહત્ત્વ છે.
નિર્જલા એકાદશી ક્યારે છે?
પંચાંગ અનુસાર, જ્યેષ્ઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી 17 જૂનના રોજ સવારે 4:43 કલાકથી શરૂ થઈ રહી છે અને બીજા દિવસે એટલે કે 18 જૂને સવારે 6:24 કલાકે સમાપ્ત થશે. 18મી જૂને નિર્જલા એકાદશી વ્રત કરવામાં આવશે. તેમજ તેના પારણા બીજા દિવસે એટલે કે 19મી જૂને થશે.
નિર્જલા એકાદશીનું મહત્ત્વ
વૈદિક જ્યોતિષ અનુસાર નિર્જલા એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ જલ્દી પ્રસન્ન થાય છે. તેમજ તમામ પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. કારણ કે વિષ્ણુ પુરાણમાં નિર્જલા એકાદશીનું વ્રત ખૂબ જ વિશેષ માનવામાં આવ્યું છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર નિર્જલા એકાદશીનું વ્રત સૌપ્રથમ ભીમે કર્યું હતું. તેથી આ એકાદશીને ભીમસેની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ દિવસે ભગવાન વિષ્ણુ માટે કંઈપણ ખાધા-પીધા વગર વ્રત રાખવામાં આવે છે. જે લોકો વિધિ પ્રમાણે એકાદશીનું વ્રત કરે છે તેઓ મોક્ષ અને દીર્ઘાયુ પ્રાપ્ત કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભીમસેની એકાદશી કરવાથી ઘરમાં ક્યારેય આર્થિક સંકટ નથી આવતા. માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે.
નિર્જલા એકાદશી પૂજા વિધિ
જ્યોતિષના મતે નિર્જલા એકાદશીના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું. ત્યારપછી સૂર્યદેવને જળ ચઢાવો. જળ અર્પણ કર્યા પછી, મનમાં વિશ્વના રક્ષક ભગવાન વિષ્ણુ અને ધનના દેવી લક્ષ્મીનું સ્મરણ કરો. સાથે જ ઘરના મંદિરને પણ સારી રીતે સાફ કરો. તે પછી ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લો. બાદમાં લાકડાના બાજોઠ પર પીળા કપડા પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિઓ સ્થાપિત કરો. મૂર્તિ સ્થાપિત કર્યા પછી ગંગા જળથી સ્નાન કરાવો. ભોજન અર્પણ કરો. પછી આરતી કરો. ત્યાર બાદ વિધિ પ્રમાણે પૂજા કરવી. ભગવાન વિષ્ણુને પીળા ફળ, પીળા ફૂલ, પીળા અક્ષત અને દેવી લક્ષ્મીને ચોખાની ખીર અર્પણ કરો.