Homeધાર્મિકનિર્જલા એકાદશી ક્યારે છે?...

નિર્જલા એકાદશી ક્યારે છે? તમામ અગિયારસમાં સૌથી મુશ્કેલ વ્રત, જાણો શુભ તિથિ, પૂજા વિધિ અને મહત્ત્વ

નિર્જલા એકાદશી, જે વિશ્વના પાલનહાર ભગવાન વિષ્ણુને ઝડપથી પ્રસન્ન કરે છે, તે તમામ એકાદશી તિથિઓમાં સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ એકાદશી વ્રત તમામ એકાદશી વ્રતમાં સૌથી કઠિન છે.

કારણ કે આ એકાદશી પર પાણી પીધા વિના નિર્જળ રહીને ઉપવાસ કરવામાં આવે છે. આ વર્ષે નિર્જલા એકાદશીનું વ્રત 18મી જૂને છે.નિર્જલા એકાદશીની શુભ તિથિ કઈ છે અને પારણાનો સમય કયો છે.

તેમજ નિર્જલા એકાદશીનું શું મહત્ત્વ છે.

નિર્જલા એકાદશી ક્યારે છે?

પંચાંગ અનુસાર, જ્યેષ્ઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી 17 જૂનના રોજ સવારે 4:43 કલાકથી શરૂ થઈ રહી છે અને બીજા દિવસે એટલે કે 18 જૂને સવારે 6:24 કલાકે સમાપ્ત થશે. 18મી જૂને નિર્જલા એકાદશી વ્રત કરવામાં આવશે. તેમજ તેના પારણા બીજા દિવસે એટલે કે 19મી જૂને થશે.

નિર્જલા એકાદશીનું મહત્ત્વ

વૈદિક જ્યોતિષ અનુસાર નિર્જલા એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ જલ્દી પ્રસન્ન થાય છે. તેમજ તમામ પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. કારણ કે વિષ્ણુ પુરાણમાં નિર્જલા એકાદશીનું વ્રત ખૂબ જ વિશેષ માનવામાં આવ્યું છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર નિર્જલા એકાદશીનું વ્રત સૌપ્રથમ ભીમે કર્યું હતું. તેથી આ એકાદશીને ભીમસેની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ દિવસે ભગવાન વિષ્ણુ માટે કંઈપણ ખાધા-પીધા વગર વ્રત રાખવામાં આવે છે. જે લોકો વિધિ પ્રમાણે એકાદશીનું વ્રત કરે છે તેઓ મોક્ષ અને દીર્ઘાયુ પ્રાપ્ત કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભીમસેની એકાદશી કરવાથી ઘરમાં ક્યારેય આર્થિક સંકટ નથી આવતા. માતા લક્ષ્‍મી પણ પ્રસન્ન થાય છે.

નિર્જલા એકાદશી પૂજા વિધિ

જ્યોતિષના મતે નિર્જલા એકાદશીના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું. ત્યારપછી સૂર્યદેવને જળ ચઢાવો. જળ અર્પણ કર્યા પછી, મનમાં વિશ્વના રક્ષક ભગવાન વિષ્ણુ અને ધનના દેવી લક્ષ્‍મીનું સ્મરણ કરો. સાથે જ ઘરના મંદિરને પણ સારી રીતે સાફ કરો. તે પછી ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લો. બાદમાં લાકડાના બાજોઠ પર પીળા કપડા પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્‍મીની મૂર્તિઓ સ્થાપિત કરો. મૂર્તિ સ્થાપિત કર્યા પછી ગંગા જળથી સ્નાન કરાવો. ભોજન અર્પણ કરો. પછી આરતી કરો. ત્યાર બાદ વિધિ પ્રમાણે પૂજા કરવી. ભગવાન વિષ્ણુને પીળા ફળ, પીળા ફૂલ, પીળા અક્ષત અને દેવી લક્ષ્‍મીને ચોખાની ખીર અર્પણ કરો.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...