સોમ પ્રદોષ વ્રત દર મહિનાના શુક્લ અને કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ મનાવવામાં આવે છે. પ્રદોષ કાળમાં તેની પૂજા કરવામાં આવે છે.
સોમ પ્રદોષનું વ્રત અને પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે. પ્રદોષ વ્રતના દિવસે વ્રત રાખવાથી અને ભગવાન શિવની પૂજા કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જે શિવ ભક્તો સોમ પ્રદોષ વ્રત રાખે છે, તેમણે આ કથા અવશ્ય વાંચવી જોઈએ.
કથા વાંચ્યા વિના વ્રત અધૂરું માનવામાં આવે છે. જે વ્યક્તિ સોમ પ્રદોષ વ્રત કથા વાંચે છે તેના પર હંમેશા મહાદેવની કૃપા રહે છે. જીવનમાં આવતા દરેક દુઃખોનો નાશ થાય છે. તો ચાલો જાણીએ સોમ પ્રદોષની વ્રત કથા વિશે.
સોમ પ્રદોષ વ્રત કથા
સોમ પ્રદોષ વ્રત કથા અનુસાર, એક શહેરમાં એક ગરીબ અને વિધવા બ્રાહ્માણી રહેતી હતી. તે દરરોજ ભિક્ષા માંગીને પોતાનું અને તેના પુત્રનું ભરણપોષણ કરતી હતી. તેના પતિનું ઘણા સમય પહેલા અવસાન થયું હતું. વહેલી સવારે તે તેના પુત્ર સાથે શહેરમાં ભિક્ષા માંગવા જતી હતી.
એકવાર બ્રાહ્માણી ભિક્ષા માંગીને ઘરે પરત ફરી રહી હતી, ત્યારે તેને એક ઘાયલ છોકરો મળ્યો. તે ઘાયલ છોકરાને ઘરે લઈ આવી. ઘાયલ છોકરા પાસેથી તેને ખબર પડી કે તે વિદર્ભ દેશનો રાજકુમાર છે. તેમના રાજ્ય પર દુશ્મનો દ્વારા હુમલો કરવામાં આવ્યો, જેમાં તે ઘાયલ થયો અને તેના પિતાને બંદી બનાવી લેવામાં આવ્યા અને રાજ્ય કબજે કરવામાં આવ્યું, તેથી તે ભટકતો રહ્યો.
તે રાજકુમાર બ્રાહ્મણીના ઘરે રહેવા લાગ્યો. એક દિવસ અંશુમતી નામની એક ગાંધર્વ છોકરી રાજકુમારને જોઈને તેના પ્રેમમાં પડી ગઈ. બીજા દિવસે રાજકુમારી તેના માતા-પિતાને રાજકુમારને મળવા લાવી. રાજકુમારને મળીને બંને ખૂબ ખુશ થયા. થોડા દિવસો પછી, ભગવાન શંકરે રાજકુમારીના માતા-પિતાને સ્વપ્નમાં રાજકુમાર અને અંશુમતીના લગ્ન કરાવવાનો આદેશ આપ્યો, તેઓએ ભગવાન શંકરના આદેશનું પાલન કર્યું.
તે વિધવા બ્રાહ્માણી પ્રદોષ વ્રત રાખતી હતી. એ વ્રતના પુણ્યને લીધે અંશુમતીના પિતાની સેનાની મદદથી રાજકુમારે વિદર્ભમાંથી દુશ્મનોને ભગાડીને પિતાનું રાજ્ય પાછું મેળવ્યું. પછી તે સુખી જીવન જીવવા લાગ્યો. રાજકુમાર વિદર્ભનો રાજા બન્યો અને બ્રાહ્મણીના પુત્રને તેના પ્રધાન તરીકે નિયુક્ત કર્યો. બ્રાહ્મણીના પ્રદોષ વ્રતને કારણે ભગવાન શિવની કૃપાથી રાજકુમાર અને બ્રાહ્મણીના પુત્રના દિવસો સુધરી ગયા.