આપણે સૌ રસોડામાં ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે ઘણા મસાલાનો ઉપયોગ કરીએ છીએ. આ મસાલામાંથી એક છે અજમો જે ભોજનને ન માત્ર ટેસ્ટ બનાવે છે પરંતુ તેનું સેવન આપણા પાચનને પણ સારુ રાખે છે. આ સિવાય વાસ્તુ શાસ્ત્રમાં પણ અજમા સાથે સંબંધિત ઉપાયો જણાવવામાં આવ્યાં છે. જેને અપનાવીને તમે તમારા જીવનમાં આવી રહેલી અડચણોને દૂર કરી શકો છો.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, અજમાનો સંબંધ શનિ દેવ સાથે હોવાની માન્યતા છે. શનિ દેવ જે ન્યાય, કર્મ અને અનુશાસનના દેવતા માનવામાં આવે છે. જો તમે તમારા ઘરમાં અજમાની એક પોટલી રાખો છો તો તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ વિષયમાં વધુ જાણકારી આપી રહ્યાં છે.
અજમાના ગુણ
આમ તો દરેક મસાલાનો સંબંધ કોઇને કોઇ ગ્રહ સાથે હોય જ છે. જેના ઉપયોગથી આપણે તે ગ્રહની નકારાત્મકતાથી બચી શકીએ છીએ. જેનાથી તે ગ્રહ આપણા પક્ષમાં કામ કરવા લાગે છે. અજમો પોતાની તીખી સુગંધ અને ગુણો માટે જાણીતો છે, તેનો ઉપયોગ આપણે શરદી-ખાંસીથી બચવા માટે કરીએ છીએ. તે આપણી રોગ પ્રતિકારક ક્ષમતાને પણ વધારે છે. આ જ અજમાની એક પોટલી આપણે આપણા ઘરમાં રાખીએ તો ઘણા લાભ મળી શકે છે. ચાલો જાણીએ તેની સાચી દિશા.
કઇ દિશામાં રાખવી જોઇએ અજમાની પોટલી
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, પૂર્વ અથવા ઉત્તર દિશામાં અજમાની પોટલી રાખવી શુભ માનવામાં આવે છે. તેનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે. સાથે જ વ્યક્તિના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, આ દિશામાં પોટલી રાખવાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થઇ શકે છે. પૂર્વ કે ઉત્તર દિશા જ્ઞાન, શિક્ષા અને બુદ્ધિ પ્રાપ્તિ માટે પણ લાભકારક દિશા માનવામાં આવે છે. તેવામાં ઉત્તર દિશા કુબેર દેવતાની દિશા માનવામા આવી છે. જે ધન, વૈભવ, સમૃદ્ધિને સમર્પિત છે. તેથી અજમાની પોટલી આ દિશામાં રાખવાથી લાભ થઇ શકે છે.
દક્ષિણ દિશામાં રાખો અજમાની પોટલી
દક્ષિણ દિશાનો સંબંધ શનિ દેવ સાથે છે તેથી આ દિશામાં અજમાની પોટલી રાખવાથી લાભ થઇ શકે છે. તેનાથી શનિ દોષથી છૂટકારો મળે છે અને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે.
કુંડળીમાં શનિ દોષ હોય તો દક્ષિણ દિશામાં અજમાની પોટલી રાખવી ઉત્તમ ફલદાયી માનવામાં આવે છે. તેને રાખવાથી વ્યક્તિને સુખ-સૌભાગ્યની પ્રાપ્તિ થઇ શકે છે અને રોગ દોષથી પણ છૂટકારો મળી શકે છે.