સત્તુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કહેવાય છે કે સત્તુનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા પ્રાપ્ત થાય છે. તેમજ સત્તૂના સેવનથી ઘણી બીમારીઓથી પણ રાહત મળે છે. સત્તુ બિહારમાં ખૂબ જ લોકપ્રિય છે. તમે લિટ્ટી-ચોખાનું નામ સાંભળ્યું જ હશે, આ લિટ્ટી માત્ર સત્તુ અને લોટમાંથી જ તૈયાર થાય છે. સત્તુ સ્વાદિષ્ટ વાનગીઓ અને સ્વાસ્થ્ય સાથે તો સંબંધ ધરાવે જ છે, આ ઉપરાંત તેનો સંબંધ પણ જ્યોતિષ સાથે પણ જોડાયેલો છે.
એવું માનવામાં આવે છે કે સત્તુનો સંબંધ ગ્રહો સાથે છે. ત્યારે તમારા મનમાં સવાલ થશે કે સત્તુનો સંબંધ જ્યોતિષ શાસ્ત્રમાં કેવી રીતે છે અને તેને કેવી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે?
શું છે સત્તૂનું જ્યોતિષ શાસ્ત્રમાં મહત્વ?
સત્તુનો સંબંધ નક્ષત્રો અને ગ્રહો સાથે માનવામાં આવે છે, આ અંગે જ્યોતિષમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે સત્તુનું સેવન કરવાથી ગ્રહો બળવાન બને છે અને ગ્રહોની શુભતા જળવાઈ રહે છે. આ ઉપરાંત નકારાત્મકતા સમાપ્ત થાય છે. માનવામાં આવે છે કે, સત્તુનો સંબંધ સૂર્ય, મંગળ અને ગુરુ સાથે છે. સત્તુનું સેવન કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને માનસિક શાંતિ જળવાઈ રહે છે.
સૂર્યદેવ અને સત્તુનો સંબંધ
હિંદુ પરંપરા અનુસાર, સૂર્ય દેવને નૈવેદ્ય તરીકે સત્તુનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. તે સૂર્યની ગરમી અને તેજ ઘટાડવામાં મદદરૂપ છે. આ સાથે તેનું દાન પણ ફળદાયી માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ વૈશાખ મહિનામાં મેષ સંક્રાંતિના દિવસે સત્તુનું દાન કરે, તો તે શુભ માનવામાં છે. આમ કરવાથી જાતકનો સૂર્ય બળવાન બને છે અને પ્રગતિના માર્ગ ખુલે છે અને સાથે જ માન-સન્માનમાં પણ વધારો થાય છે.
ગુરુ અને સત્તુનો સંબંધ
માનવામાં આવે છે કે, સત્તુ ગુરુ ગ્રહ સાથે પણ સંબંધ ધરાવે છે. તે જ્ઞાન, બુદ્ધિ અને સમૃદ્ધિ આપે છે, તેથી સત્તુને શિક્ષણ અને વ્યવસાયમાં પ્રગતિ માટે શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે સત્તુના સેવનથી ગુરુ ગ્રહ મજબૂત થાય છે.