આચાર્ય ચાણક્યની નીતિઓનું પાલન કરનાર વ્યક્તિ જીવનમાં ક્યારેય પણ અસફળ નથી થતો. આચાર્ય ચાણક્ય એક મહાન જ્ઞાની વ્યક્તિ હતાં. ચંદ્રગુપ્ત મૌર્યને રાજા બનાવવામાં આચાર્ય ચાણક્યનું ખૂબ મોટુ યોગદાન રહ્યું હતું. આજના સમયમાં પણ આચાર્ય ચાણક્યની નીતિઓ કારગર સાબિત થાય છે. દરેક વ્યક્તિ જીવનમાં સાચા અને સમજદાર જીવનસાથીની ઇચ્છા રાખે છે.
સૌકોઇને પોતાના પાર્ટનર પાસેથી અલગ આશા હોય છે. ઘણીવાર લોકો આશા પર ખરા ઉતરનારનો હાથ જીવનભર માટે પકડી લે છે. ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં જણાવ્યું છે કે, કેવા પ્રકારની સ્ત્રી સાથે લગ્ન કરવાથી પુરુષનું જીવન ધન્ય થઇ જાય છે. આચાર્ય ચાણક્ય અનુસાર, જે સ્ત્રીમાં આ 4 ગુણ હોય, તેની સાથે લગ્ન કરનાર વ્યક્તિનું સૂતેલું ભાગ્ય પણ જાગી જાય છે. આવી સ્ત્રી જે ઘરમાં જાય છે ત્યાં લાભ જ લાભ થાય છે. ચાલો જાણીએ આચાર્ય ચાણક્યએ સ્ત્રીના કયા ગુણો વિશે જણાવ્યું છે.
પાર્ટનરની ચિંતા કરનારી સ્ત્રી
જે સ્ત્રી પોતાના પાર્ટનરને વધુ પ્રેમ કરતી હોય અને હંમેશા પોતાના પાર્ટનરની ચિંતા કરનારી સ્ત્રીનો હાથ અધવચ્ચે ક્યારેય ન છોડવો જોઇએ. ચાણક્ય કહે છે કે આવી સ્ત્રી સાથે અણબનાવ થાય તો પણ સમાધાન કરી લેવું જોઇએ. કારણ કે આવી સ્ત્રી પોતાના પાર્ટનરનો સારા-ખરાબ દિવસોમાં સાથ આપે છે.
તમારા મનની સુંદરતાને મહત્વ આપનારી સ્ત્રી
તમારે એવી સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ જે તમારા મનની સુંદરતાને મહત્વ આપે. બાહ્ય સૌંદર્ય થોડા સમય પછી ઓસરી જાય છે પણ સ્વભાવ જીવનભર એવો જ રહે છે. જે સ્ત્રી તમારા સ્વભાવને મહત્વ આપે છે તે જીવનભર તમારો સાથ આપે છે.
શાંત રહેતી સ્ત્રી
શાંત અને ગુસ્સો ન કરતી સ્ત્રી સાથે લગ્ન કરવાથી વ્યક્તિનું ભાગ્ય બદલાઈ જાય છે. ક્રોધ એ વ્યક્તિનો સૌથી મોટો દુશ્મન છે. ગુસ્સાવાળા વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
એવી સ્ત્રી જે ઘરના વડીલોનું સન્માન કરે છે અને નાનાને પ્રેમ કરે
એવી સ્ત્રી જે ઘરના વડીલોનું સન્માન કરે છે અને નાનાને પ્રેમ કરે, તેની સાથે લગ્ન કરવાથી વ્યક્તિનો ભાગ્યોદય થાય છે.
ધૈર્યવાન સ્ત્રી
જે સ્ત્રી ધીરજ રાખે છે તે કોઈ પણ સંજોગોમાં પોતાના જીવનસાથીનો સાથ છોડતી નથી. આવી સ્ત્રી સાથે લગ્ન કરવાથી વ્યક્તિનું ભાગ્ય બદલાઈ જાય છે.
ધાર્મિક સ્ત્રી
ધાર્મિક સ્ત્રી સાથે લગ્ન કરવાથી વ્યક્તિનું સૂતેલું ભાગ્ય પણ જાગે છે. ધાર્મિક વ્યક્તિ ક્યારેય ખોટા રસ્તે ચાલી શકે નહીં. ધર્મના માર્ગે ચાલનાર વ્યક્તિ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે.