Homeધાર્મિકઆવતીકાલે ગણેશ ચતુર્થી: ઘઉંના...

આવતીકાલે ગણેશ ચતુર્થી: ઘઉંના બનેલા લાડવા વિઘ્નહર્તા ધરવાનું વધુ એક મહત્વ

આવતીકાલ તા.11મે ને શનિવારના રોજ ગણેશ ચોથની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે વર્ષના નવા ઘઉંંમાંથી બનાવેલા લાડવા ગણપતિ દાદાને ધરાવી અને ત્યાર પછી જ નવા વર્ષના ઘઉં વાપરવાની શરૂઆત થાય છે.

વૈશાખ સુદ ચોથને શનિવાર તા 11.5.24ના દિવસે ગણેશ ચોથ છે. વૈશાખ મહિના માં આવતી શુકલ પક્ષની ચોથ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ગણેશ ચોથ તરીકે ઉજવાય છે એક માન્યતા પ્રમાણે આ દિવસે ગણપતિદાદા ના લગ્ન થયેલા દરેક શુભકાર્યોમાં ગણપતિ દાદાની પ્રથમ પૂજા કરવામાં આવે છે.

ગણપતિ દાદા વિઘ્નોના હર્તા છે. ગણપતિદાદાનો પ્રિયવાર મંગળવાર છે. લાલ વસ્ત્ર લાલકુલ સોપારી ગણપતિદાદાને પ્રિય છે. લગ્ન જેવા શુભ પ્રસંગો મા દિવાલમાં કરવામાં આવતાં કંકુના ચાંદલા એટલે કે દેરડીની પૂજા કરીએ છીએ તે ગણપતિદાદાનો પરિવાર છે જેને માતૃકા કહેવામાં આવે છે. ગણપતિદાદા રિધ્ધિ સિધ્ધિ સાથે પૂજામાં સપરિવાર પધારે છે.

શનીવારે ગણેશ ચોથના દિવસે સવારે નિત્ય કર્મ કરી ત્યારબાદ બાજોઠ કે પાટલા પર લાલવસ્ત્ર પાથરી તેના પર ઘઉંની ઢગલી કરી ગણપતિદાદાને બીરાજમાન કરવા તેની બન્ને બાજુ સોપારીમાં રિધ્ધિ સિધ્ધિ રાખવા દાદાને સિંદુર લગાડી અને ચાંદલો ચોખા કરવા લાલ ફુલ અર્પણ કરવું. વસ્ત્ર જનોઈ અર્પણ કરવા અબીલ ગુલાલ દુર્વા અર્પણ કરવા ધ્રુપ દીપ અર્પણ કરવા નૈવેદ્યમાં ગોળથી બનાવેલા મોદક એટલે કે લાડવા ધરાવા આરતી કરી ત્યાર બાદ પ્રાર્થના કરવી અમારા જીવનમાં કોઈ વિઘ્નો નો આવે ક્ષમા યાચના માગવી. ત્યારબાદ પ્રસાદ ખાવો
ગણપતિદાદાની ચોખા ચડાવી અંગ પુજા કરી શકાય, ઓમ કપર્દિગણનાથાય નમ: પગની પૂજા કરવી, ઓમ ગણેશાય નમ: ગોઠણની પુજા કરવી, ઓમ ગણનાથાય નમ: સાથળની પુજા કરવી, ઓમ રણકીડાય નમ: કટિની પૂજા કરવી, ઓમ વક્રતુંડાય નમ: હૃદયની પૂજા કરવી, ઓમ લંબોદરાય નમ: કંઠની પૂજા કરવી, ઓમ હેરંબાય નમ: હાથની પૂજા કરવી, ઓમ વિકટાય નમ: મુખની પૂજા કરવી, ઓમ વિઘ્નરાજાય નમ: નેત્રની પૂજા કરવી, ઓમ ધ્રુમવર્ણય નમ: મસ્તકની પૂજા કરવી, ઓમ કપર્દિનેમ નમ: બોલી દાદાના આખા શરીર પર ચોખા ચડાવા, આમ ગણપતિ દાદાની પૂજા કરવાથી અને વૈશાખ સુદ ચોથ ગણેશ ચોથના દિવસે વ્રત રહેવાથી ઘરમાં રિધ્ધિ સિધ્ધિની પ્રાપ્તિ થાય છે.

જે લોકોને જીવનમાં વારંવાર વિઘ્નો આવતાં હોય તથા જે લોકોને પોતાનું મકાન નો હોય તેવા લોકોએ ગણપતિદાદાની પૂજા કરવાથી જીવનના વિઘ્નો દૂર થાય છે અને પોતાના રહેવાના મકાનની પ્રાપ્તિ થાય છે.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...