Homeધાર્મિકવૈશાખ અમાવસ્યા 2024: પિતૃ...

વૈશાખ અમાવસ્યા 2024: પિતૃ દોષથી છુટકારો મેળવવા માટે વૈશાખ અમાવસ્યા પર કરો આ કામ, પૂર્વજો પ્રસન્ન થશે અને વરસાવશે તેમના આશીર્વાદ.

અમાવસ્યાનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ છે. આ દિવસે સ્નાન-દાન સાથે ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ સાથે જ અમાવસ્યા પર પિતૃઓની આત્માની શાંતિ માટે તર્પણ પણ કરવામાં આવે છે. આ વખતે વૈશાખ અમાવસ્યાની શરૂઆત 7 મેના રોજ સવારે 11 વાગીને 40 મિનિટથી થઇ રહી છે અને 8 મેના રોજ સવારે 8 વાગીને 51 મિનિટે તેનું સમાપન થશે. તેથી વૈશાખ અમાવસ્યા 8 મેના રોજ ઉજવવામાં આવશે.

અમાવસ્યા તિથિના દિવસે પિતૃઓને ખુશ કરવા માટે કેટલાંક ઉપાય કરવા શુભ રહે છે. તેનાથી પિતૃ ખુશ થઇને પોતાના આશીર્વાદ આપે છે. અમાવસ્યાના દિવસે શું કરવું જોઇએ. ચાલો વિગતે તેના વિશે જાણીએ.

વૈશાખ અમાવસ્યાના દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્ત્વ છે. પિતૃઓને ખુશ કરવા માટે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કર્યા બાદ તર્પણ કરવું જોઇએ. કહેવામાં આવે છે કે પિતૃલોકમાં જતી વખતે પાણીની કમી થઇ જાય છે અને તેવામાં પિતૃઓનું તર્પણ કરવાથી તેમને તૃપ્તિ મળે છે. તેવામાં આ દિવસે જળનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. કોઇ જરૂરિયાતમંદને જળનુ દાન કરવાથી પિતૃઓના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

પિતૃ દેવની પૂજા

અમાવસ્યાના દિવસે પિતૃઓના દેવ અર્યમાની પૂજા કરવી જોઇએ. કહેવામાં આવે છે કે તેમની પૂજાથી ખુશ થઇને તે પિતૃઓને મુક્તિ આપી દે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

પશુઓની સેવા અને ભોજન

અમાવસ્યાના દિવસે કાગડો, શ્વાન, ગાય વગેરે જેવા પશુઓને ભોજન કરાવવું જોઇએ. ભોજનની સાથે-સાથે પાણીની પણ વ્યવસ્થા કરવી જોઇએ. કહેવામાં આવે છે કે પિતૃ તેમના માધ્યમથી જ અન્ન અને જળ ગ્રહણ કરે છે.

દાન

વૈશાખ અમાવસ્યાના દિવસે ખાસ કરીને પિતૃઓના નામે દાન કરવું પણ શુભ રહે છે. આ દિવસે જરૂરિયાતમંદને અન્ન, મીઠુ, ગોળ, છત્રી, સફેદ કપડાં વગેરે દાન કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...