Homeકૃષિગુજરાતના 5 જિલ્લામાં પડ્યો...

ગુજરાતના 5 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ, માવઠાથી ખેડૂતોની ચિંતા વધી,24 કલાક ભારે

ગુજરાતમાં થી ચોમાસાએ હજુ થોડા દિવસો પહેલાં જ વિદાય લીધી છે અને ખેડુતો તેમના પાક લેવામાં વ્યસ્ત છે એવા સમયે 5 જિલ્લામાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડુતોની ચિંતા વધી છે. હજુ તો 24 કલાક ભારી હોવાની આગાહી છે. જો કમોસમી વરસાદ વધારે પડશે તો ખેડુતોના પાકને ભારે નુકશાન થશે.

ગુજરાતનું વાતાવરણ દિવાળીના તહેવાર પહેલા બદલાયું છે અને દ્રારકા, જૂનાગઢ, સાપુતારા, ગીર સોમનાથ અને અમરેલી એમ રાજ્યાના 5 જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે.માવઠાને કારણે ખેડુતોના મગફળી અને કપાસના તૈયાર પાકને ભારે નુકશાન થવાની વકી છે.

ગીર સોમનાથમાં તો કરા સાથે વરસદા પડવાને કારણે ખેડુતોને શિયાળુ પાકમાં નુકશાન થવાની ચિંતા છે.

ગુજરાતમાં અત્યારે લોકો બેવડી સિઝનનો અનુભવ કરી રહ્યા છે. દિવસમાં ગરમી પડી રહી છે અને વહેલી સવારે અને રાત્રે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.

એક તરફ રાજ્યમાં કમોસમી વરસાદની એન્ટ્રી થઇ છે તો બીજી તરફ હવામાનના જાણકાર અંબાલાલ પટેલે ચિંતા વધારનારી વાત કરી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે. તેમણે કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. દેવભૂમિ દ્રારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, સોમનાથ, વલસાડ અને ડાંગમાં 24 કલાકમાં વરસાદ પડવાની સંભાવના છે.

અંબાલાલ પટેલે કહ્યું છે કે, આગામી 14 થી 16 નવેમ્બર દરમિયાન એટલે કે નવા વર્ષના પહેલા દિવસથી હવાનું હળવું દબાણ ઉભું થશે. સાથે તેમણે એમ પણ કહ્યું છે કે, 16 નવેમ્બરથી ડિસેમ્બર સુધીમાં ભારે ચક્રવાતની પણ સંભાવના છે. જેને કારણે ગુજરાતના હવામાન પર તેની અસર જોવા મળશે. દિવાળી પછી અરબ સાગરનો ભેજ અને અનેક વેસ્ટર્ન ડિસ્ટર્બન આવવાના ચાલું રહેશે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2024માં જબરદસ્ત ઠંડી પડશે.

અંબાલાલ પટેલે કહ્યુ કે રાજ્યમાં દિવસનું જે તાપમાન છે તેમાં વધારે ફેરફાર થવાની સંભાવના દેખાતી નથી. રાતનું તાપમાન પણ એટલું જ રહેશે. આગામી 7 દિવસમાં ભારે ઠંડીની શક્યતા દેખાતી નથી.

રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડુતો પરેશાની અનુભવી રહ્યા છે. આ વખતે માર્ચ મહિનામાં પણ ચોમાસાની સિઝન પહેલાં કમોસમી વરસાદે ખેડુતોની ઉંઘ હરામ કરી નાંખી હતી

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...