વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહો સમયાંતરે રાશિ પરિવર્તન કરીને શુભ અને અશુભ યોગનું નિર્માણ કરે છે, જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઇએ કે 23 એપ્રિલે ગ્રહોના સેનાપતિ મંગળ ગ્રહ મીન રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યાં છે, જ્યાં પહેલાથી જ રાહુ, બુધ અને શુક્ર બિરાજમાન છે. તેવામાં આ ગ્રહોની યુતિથી ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થશે.
જેનાથી કેટલીક રાશિઓની કિસ્મત ચમકી શકે છે. સાથે જ આ રાશિઓની ધન-સંપત્તિમાં વધારો થઇ શકે છે. ચાલો જાણીએ આ લકી રાશિઓ કઇ છે.
કર્ક રાશિ
તમારા માટે ચતુર્ગ્રહી યોગ લાભકારક સાબિત થઇ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિના નવમા ભાવ પર બની રહ્યો છે. તેથી આ સમયે તમને કિસ્મતનો સાથ મળશે. સાથે જ આ દરમિયાન તમને પૈતૃક સંપત્તિ વગેરેનું પણ સુખ મળી શકે છે. તેવામાં આ સમયગાળા દરમિયાન નોકરિયાત જાતકોને પદ પ્રતિષ્ઠા વગેરેનો પણ લાભ મળશે. તેવામાં આ સમયે તમે કોઇ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં પણ સામેલ થઇ શકે છે. તેવામાં તમારુ પારિવારિક જીવન પણ પહેલા કરતાં વધુ સારુ રહેશે. સાથે જ સમાજમાં માન સન્માન પણ વધશે. આ સમયે તમે દેશ-વિદેશની યાત્રા પણ કરી શકો છો.
મિથુન રાશિ
ચતુર્ગ્રહી યોગ મિથુન રાશિના જાતકો માટે શુભ ફળદાયી સિદ્ધ થઇ શકે છે. કારણ કે આ યોગ તમારી ગોચર કુંડળીના કર્મભાવ પર રચાવા જઇ રહ્યો છે. તેથી આ સમયે તમારી નોકરી-ધંધામાં પ્રગતિ થઇ શકે છે. સાથે જ જો તમે કોઇ વાહન કે સંપત્તિ ખરીદવાનું સપનુ જોઇ રહ્યાં હતાં તો તે આ સમય દરમિયાન પૂરુ થઇ શકે છે. આ સમયે જે લોકો બેરોજગાર છે, તેમને નવી નોકરી મળી શકે છે. નોકરિયાત લોકોની પદોન્નતિ થઇ શકે છે. સાથે જ તમારા ધનમાં વૃદ્ધિ થશે.
ધનુ રાશિ
તમારા માટે ચતુર્ગ્રહી યોગ અનુકૂળ સાબિત થઇ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિના ચતુર્થ ભાવમાં બનવા જઇ રહ્યો છે. તેથી આ સમયે તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થઇ શકે છે. સાથે જ તમને પ્રગતિના નવા અવસર મળશે.
આ સમયગાળામાં તમને નજીકના લોકો તરફથી ઉપહાર અને સન્માન બંને મળશે. તેવામાં તમે આ સમયે કોઇ વાહન અને પ્રોપર્ટી પણ ખરીદી શકો છો. સાથે જ આ સમયમાં તમને પૈતૃક સંપત્તિનો પણ લાભ મળશે. તમને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. સાથે જ ઘર પરિવારમાં ખુશહાલી આવશે.