Homeધાર્મિકજન્માક્ષર/ આ 3 રાશિના...

જન્માક્ષર/ આ 3 રાશિના લોકોએ સાવધાન રહેવું જોઈએ, શુક્ર 31 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શુક્ર જ્યારે પણ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશે છે ત્યારે તેનો પ્રભાવ દરેક રાશિઓ પર થાય છે. પંચાગ અનુસાર 31 માર્ચના રોજ મીન રાશિમાં શુક્ર પ્રવેશ કરશે જે 24 એપ્રિલ રાત્રે 12 વાગ્યા સુધી રહેશે. મીન રાશિમાં પ્રવેશથી 3 રાશિના લોકોને સાવધાન રહેવાની જરૂર છે કેમ કે તેમને કોઈ મોટુ નુકસાન આવી શકે છે. કઈ રાશિના લોકોને સાવધાન રહેવાની જરૂર છે તે અમે અહીંયા જણાવશું.

સિંહ રાશિ : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર ગ્રહ મીન રાશિમાં પ્રવેશતા સિંહ રાશિના લોકોને પોતાના જીવનમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. 31 માર્ચથી 24 એપ્રિલ સુધી નોકરી અને ધંધો કરતા લોકે સાવધાન રહેવાની જરૂર છે. જો તમે સજાગ નહીં રહો તો તમને નિષ્ફળતા મળી શકે છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારનું રોકાણ ન કરો. વધારાના ખર્ચ બંધ કરવા જોઈએ. કેટલાક સરકારી કામ અટકી જવાના યોગ પણ બની રહ્યા છે.

તુલા રાશિ : જ્યોતિષોના મતે શુક્રના મીનમા પ્રવેશ્યા બાદનો સમય તુલા રાશિના લોકો માટે પ્રતિકૂળ હોઈ શકે છે. શુક્રની નકારાત્મક અસર તુલા રાશિના લોકો પર જોવા મળી શકે છે. આ સમય દરમિયાન, તમારે કેટલીક બાબતોને અવગણવી પડશે. તમારે કોઈપણ પ્રકારના વાદ-વિવાદથી દૂર રહેવું. જો તમે સંઘર્ષ કરશો તો તમારી મુશ્કેલીઓ વધશે.

વૃશ્ચિક રાશિ : શુક્રનો મીનમાં પ્રવેશ વૃશ્ચિક રાશિના લોકો માટે કેટલાક ખરાબ સંકેતો આપે છે. જેથી આ સમયગાળા દરમિયાન વૃશ્ચિક રાશિના લોકોએ કેટલાક કામો ન કરવા જોઈએ. આ દરમિયાન સટ્ટાબાજીથી દૂર રહેવું જોઈએ, નહીં તો ભારે નુકસાન થઈ શકે છે. આ સમય આર્થિક મુશ્કેલીભર્યો રહેશે. 31 માર્ચથી 24 એપ્રિલ સુધી વૃશ્ચિક રાશિના લોકોએ વાદ-વિવાદથી દૂર રહેવુ.

ઉપાય : શુક્રને પ્રસન્ન કરવા શુક્રવારના રોજ વ્રત રાખો તથા શુક્રના બીજ મંત્રનો જાપ કરો. આ સિવાય શુક્રવારે સફેદ કપડા, ચોખા, અત્તર, દૂધ અને સૌંદર્ય સામગ્રીનું દાન કરવું જોઈએ.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...