જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શુક્ર જ્યારે પણ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશે છે ત્યારે તેનો પ્રભાવ દરેક રાશિઓ પર થાય છે. પંચાગ અનુસાર 31 માર્ચના રોજ મીન રાશિમાં શુક્ર પ્રવેશ કરશે જે 24 એપ્રિલ રાત્રે 12 વાગ્યા સુધી રહેશે. મીન રાશિમાં પ્રવેશથી 3 રાશિના લોકોને સાવધાન રહેવાની જરૂર છે કેમ કે તેમને કોઈ મોટુ નુકસાન આવી શકે છે. કઈ રાશિના લોકોને સાવધાન રહેવાની જરૂર છે તે અમે અહીંયા જણાવશું.
સિંહ રાશિ : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર ગ્રહ મીન રાશિમાં પ્રવેશતા સિંહ રાશિના લોકોને પોતાના જીવનમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. 31 માર્ચથી 24 એપ્રિલ સુધી નોકરી અને ધંધો કરતા લોકે સાવધાન રહેવાની જરૂર છે. જો તમે સજાગ નહીં રહો તો તમને નિષ્ફળતા મળી શકે છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારનું રોકાણ ન કરો. વધારાના ખર્ચ બંધ કરવા જોઈએ. કેટલાક સરકારી કામ અટકી જવાના યોગ પણ બની રહ્યા છે.
તુલા રાશિ : જ્યોતિષોના મતે શુક્રના મીનમા પ્રવેશ્યા બાદનો સમય તુલા રાશિના લોકો માટે પ્રતિકૂળ હોઈ શકે છે. શુક્રની નકારાત્મક અસર તુલા રાશિના લોકો પર જોવા મળી શકે છે. આ સમય દરમિયાન, તમારે કેટલીક બાબતોને અવગણવી પડશે. તમારે કોઈપણ પ્રકારના વાદ-વિવાદથી દૂર રહેવું. જો તમે સંઘર્ષ કરશો તો તમારી મુશ્કેલીઓ વધશે.
વૃશ્ચિક રાશિ : શુક્રનો મીનમાં પ્રવેશ વૃશ્ચિક રાશિના લોકો માટે કેટલાક ખરાબ સંકેતો આપે છે. જેથી આ સમયગાળા દરમિયાન વૃશ્ચિક રાશિના લોકોએ કેટલાક કામો ન કરવા જોઈએ. આ દરમિયાન સટ્ટાબાજીથી દૂર રહેવું જોઈએ, નહીં તો ભારે નુકસાન થઈ શકે છે. આ સમય આર્થિક મુશ્કેલીભર્યો રહેશે. 31 માર્ચથી 24 એપ્રિલ સુધી વૃશ્ચિક રાશિના લોકોએ વાદ-વિવાદથી દૂર રહેવુ.
ઉપાય : શુક્રને પ્રસન્ન કરવા શુક્રવારના રોજ વ્રત રાખો તથા શુક્રના બીજ મંત્રનો જાપ કરો. આ સિવાય શુક્રવારે સફેદ કપડા, ચોખા, અત્તર, દૂધ અને સૌંદર્ય સામગ્રીનું દાન કરવું જોઈએ.