વૈદિક જયોતિષમાં ગ્રહોના રાશિ પરિવર્તન અને બે કે બેથી વધારે ગ્રહોની કોઇ એક રાશિમાં યુતિનું વિશેષ મહત્વ હોય છે. તા.31મી માર્ચના સુખ, વૈભવ, સૈંદર્ય, ભોગવિલાસ અને સંપન્નતાનો કારક ગ્રહ શુક્ર પોતાની ઉચ્ચ રાશિ મીનમાં પ્રવેશ કરે છે.
શુક્રનો મીન રાશિમાં પ્રવેશ થવાથી રાહુની સાથે યુતિ થશે રાહુને છાયા ગ્રહ માનવામાં આવ્યો છે. તે મીન રાશિમાં જ મોજુદ છે.
આમ મીન રાશિમાં 18 વર્ષો બાદ શુક્ર-રાહુની યુતિ થવા થઇ રહી છે.
જયોતિષના અનુસાર રાહુ અને શુક્ર ગ્રહની આપસમાં મિત્રતા છે. મીન રાશિમાં રાહુ શુક્રની યુતિથી કેટલીક રાશિના જાતકોને ખુબ ફાયદો મળી શકે છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકોને શુક્ર-રાહુની યુતિનો ફાયદો અપાવી શકે છે. આ યુતિ કુંડળીના લાભના સ્થાન પર બને છે. એવામાં આ રાશિના જાતકોને લાભના ઘણા અવસર મળી શકે તેમ છે. આર્થિક લાભ થાય, નોકરીયાત વર્ગને ફાયદો થાય નવી નોકરીની તકો મળે વેપારમાં સારો નફો મળવાની સંભાવના છે.
ધન રાશિ
આ રાશિના જાતકોને શુક્ર-રાહુની યુતિ સારા પરિણામ આપી શકે છે. જે લોકો જમીન જાયદાદના ધંધામાં છે. તેને લાભ મળી શકે છે. સુખ સુવિધાઓમાં વધારે થાય, નોકરીયાતો માટે લાભદાયક, પ્રમોશન મળે, આર્થિક સ્થિતિ સધ્ધર બને.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે શુક્ર-રાહુની યુતિ શુભ સાબિત થશે. આ યુતિ ધન ભાવ પર હોવાથી ધન લાભની સંભાવના છે. નોકરીયાત વર્ગ માટે પ્રમોશન તથા પગારમાં વધારો થાય તેવા યોગો છે.