જ્યોતિષશારત્રમાં કેતુ ગ્રહને માયાવી ગ્રહ માનવામાં આવે છે. માન્યતા પ્રમાણે કેતુ શનિ ગ્રહની જેમ ધીમી ગતિએથી ચાલવાવાળો ગ્રહ છે. કેતુ ઓક્ટોબર,2023માં જ કન્યા રાશિમાં ગોચર કરી ચુક્યો છે. હવે આવનારા 9-10 મહિનામાં કેતુ ક્ન્યા રાશિમાં જ બિરાજમાન રહેશે. કેતુ ગ્રહ ક્રયા રાશિમાં બિરાજમાન રહેશે જેથી કેટલીક રાશિઓનું ભાગ્ય બદલાવવાનું છે.
વર્ષ 2025 સુધી આ રાશિઓનું ભાગ્ય બદલાશે. સાથે કેટલીક ખુશીના સમાચાર મળી પણ શકે છે.
મેષ રાશિ– મેષ રાશિના લોકો આ માટે કેતુનું ભ્રમણ એક વર્ષ લાભ આપતું દેખાશે. જે લોકો આર્થિક સમ્રયાનો સામનો કરી રહ્યા છે તેઓની આર્થિક સ્થિતિ સારી બની શકે છે. સંબંધોમાં મીઠાશ વધશે. જીવનસાથીનો ભરપૂર સાથ મળશે. વેપાર-ધંધામાં નવી યોજનાઓ વિકસાઈ શકો છો.
કર્ક રાશિ- વર્ષ 2025 સુધી કેતુ ક્રયા રાશિમાં બિરાજમાન રહેશે. આ જાતકોની જીંદગીમાં નવા બદલાવ આવી શકે છે. વર્ષ 2024 સુધી કાર્યની નવી શરૂઆત કરી શકો છો. પરિવારમાં સંબંધો ગાઢ બનશે. સંબંધોમાં વધુ પરિપક્વ બનશે. પોતાના પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
વૃશ્ચિક રાશિ– જાતકોને કેતુનું ગોચર ખૂબ જ શુભ અને લાભદાયક ગણાઈ રહ્યું છે. આ વર્ષના અંતે વેપારમાં પુષ્કળ ફાયદો થવાની સંભાવના છે.