આગામી તા. 25મી માર્ચના સોમવારે વર્ષ ર0ર4નું પ્રથમ ચંદ્ર ગ્રહણ થનાર છે. આ વખતે ચંદ્ર ગ્રહણ અને ધુળેટી પર્વ એક સાથે રહેશે. અર્થાત ધુળેટી પર ચંદ્ર ગ્રહણની છાયા રહેશે. વૈદિક જયોતિષ શાસ્ત્રને અનુસાર ધુળેટી પર્વ પર 100 વર્ષ બાદ તા. રપમી માર્ચના ચંદ્ર ગ્રહણ થશે.
તા. 25મીના ચંદ્ર ગ્રહણ સવારે 10.ર3 કલાકથી શરૂ થઇને બપોરના 3.ર કલાક સુધી રહેશે.
જે આ પૂર્વે ધુળેટી અને ચંદ્ર ગ્રહણ બંને સાલ 19ર4માં થયેલું હતું. આ વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ એક ઉપછાયા ચંદ્ર ગ્રહણ હશે. જે લગભગ ચાર કલાક સુધી રહેશે. ધુળેટી અને ચંદ્ર ગ્રહણ બંને એક સાથે પડવાથી તેનો કેટલીક રાશિઓ પર શુભ પ્રભાવ રહેશે.
18 વર્ષ બાદ શુક્ર-રાહુ તથા સૂર્યનો ત્રિવેણી યોગ
વૈદિક જયોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તન, યુતિ તથા યોગનું વિશેષ મહત્વ હોય છે ધન, વૈભવ અને ભૌતિક સુખ સુવિધાઓનો કારક ગ્રહ શુક્ર તા.31મીના મીન રાશિમાં ગોચર કરશે જયાં પહેલાંથી જ રાહુ અને સૂર્ય બિરાજમાન છે. આમ મીન રાશીમાં શુક્ર, સૂર્ય અને રાહુની યુતિ બનશે. મીન રાશિમાં આ ત્રણ ગ્રહોની યુતિ લગભગ
18 વર્ષો પછી બની છે. આ યુતિનો લાભ કેટલીક રાશિના જાતકોને અવશ્ય મળશે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે ચંદ્ર ગ્રહણ શુભ સાબિત થશે. કાર્યોમાં સફળતા માટે ધન લાભના વિશેષ અવસર પ્રાપ્ત થાય. વેપારમાં બધા પ્રયાસો ફળીભૂત થાય. ભાગ્યનો સાથ મળે, માન-સન્માનમાં વૃધ્ધિ થાય.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે ચંદ્ર ગ્રહણ શ્રેષ્ઠ પરિણામ આપશે. ધનમાં વૃધ્ધિના યોગ બની રહ્યા છે. જે કામ હાથમાં લેવાય તેમાં સફળતા મળશે. વેપારીઓએ સર્તકતા રાખવી પડશે. આવકના સાધનોમાં વૃધ્ધિ થાય. નોકરીમાં પ્રમોશન તથા વેતનમાં વૃધ્ધિના યોગ છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે વર્ષના પ્રથમ ચંદ્ર ગ્રહણ અને ધુળેટીના સંયોગથી વિશેષ સુખની પ્રાપ્તિ થાય. આત્મ વિશ્ર્વાસ વધે, નોકરીયાત તથા વેપારીઓ માટે લાભદાયક બને.
ધન રાશિ
ધુળેટી પર ચંદ્ર ગ્રહણ ધન રાશિના જાતકો માટે અતિ લાભદાયક રહે, સફળતા મળે, નોકરીયાતો માટે તથા નવી નોકરી મળી શકે ભૌતિક સુખ સુવિધામાં વૃધ્ધિ થાય.
મકર રાશિ
વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ સકારાત્મકતા લઇને આવી રહ્યું છે. ધન લાભના સુંદર યોગો બની રહ્યા છે. નોકરીમાં લાભ થાય માન-સન્માન તથા આત્મવિશ્ર્વાસમાં વૃધ્ધિ થાય. અચાનક ધન લાભના યોગ છે.