દર મહિને મોટા ગ્રહ ગોચર કરશે છે, જેની અસર તમામ 12 રાશિઓના જીવન પર થાય છે. ઉલ્લેખનીય છે કે, 23 એપ્રિલના રોજ ગ્રહોના સેનાપતિ મંગળ મીન રાશિમાં ગોચર કરવા જઇ રહ્યો છે.
આવામાં 4 રાશિના જાતકોને મોટા લાભ થવાના છે. આ અહેવાલમાં આપણે જાણીશું કે, મંગળ ગોચરથી કઇ કઇ રાશિઓને લાભ થશે. વૈદિક શાસ્ત્રો અનુસાર, મંગળ 23 એપ્રિલના રોજ પોતાની રાશિ બદલવા જઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, મંગળ એક રાશિથી બીજી રાશિમાં બદલાવા જઈ રહ્યો છે. હાલમાં મંગળ કુંભ રાશિમાં સ્થિત છે, અને આવતા મહિને મીન રાશિમાં પ્રવેશ કરશે. આ સમય દરમિયાન લોકો ખૂબ જ સંવેદનશીલ અને દયાળુ બની શકે છે. મંગળ ગોચરની અસર 4 રાશિના લોકોને ધમાકેદાર લાભ આપશે.
વૃષભ રાશિર – મંગળ ગોચર વૃષભ રાશિના લોકોના કાર્યસ્થળ પર સકારાત્મક અસર કરશે. આ સમયગાળા દરમિયાન વૃષભ રાશિના લોકોને સારો આર્થિક લાભ મળશે. ઇન્ક્રીમેન્ટ મળવાના ચાન્સ છે.
આ સમયગાળા દરમિયાન વૃષભ રાશિના લોકોને પુરસ્કાર, પ્રમોશન વગેરે મળી શકે છે. વેપારી માટે પણ આ સમય શુભ છે, પરંતુ આ સમયે બાળકો સાથે સંઘર્ષ કરતી વખતે સાવચેત રહો. નવી મિલકત ખરીદી શકો છો. જો તમે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો હવે સારો સમય છે. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી લાભ થશે.
મિથુન રાશિ – 23 એપ્રિલે મંગળનું ગોચર મિથુન રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેશે. આ સમયે મિથુન રાશિના લોકોને પિતાનો સહયોગ મળશે. તમને સરકારી અને નોકરીમાં તમારા બોસનો સહયોગ મળશે.
આ સમયગાળા દરમિયાન સરકાર સાથે જોડાયેલા લોકો માટે આ સમય ફાયદાકારક છે. આ રાશિવાળા લોકો નવી મિલકત અથવા નવું વાહન ખરીદી શકે છે. નોકરી શોધી રહેલા લોકોને નવી નોકરી મળી શકે છે. રાત્રે સૂતા પહેલા ધ્યાન કરવું ફાયદાકારક રહેશે.
તુલા રાશિ – મીન રાશિમાં મંગળનું ગોચર તુલા રાશિના જાતકો માટે સકારાત્મક પરિણામ આપશે. આ સમયગાળા દરમિયાન તુલા રાશિના લોકોને ઘણી સમસ્યાઓમાંથી રાહત મળશે. નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર ઓળખ, ઇન્ક્રીમેન્ટ અને પ્રમોશન મળી શકે છે.
આ સમય દરમિયાન સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થશે. દુશ્મનોને હરાવવામાં તમને સફળતા મળશે. શનિવારના રોજ વૃદ્ધો અને ગરીબોને ભોજન કરાવો, વૃદ્ધાશ્રમમાં સેવા કરવાથી તમને ઘણી સમસ્યાઓથી રાહત મળશે.
મકર રાશિ – મકર રાશિના લોકો માટે સેનાપતિ ગ્રહ મંગળ ગોચર લાભદાયી સાબિત થશે. આ સમયે તમે સામાજિક ક્ષેત્રે એક અલગ ઓળખ બનાવવામાં સફળ રહેશો. નાની યાત્રાઓ કરી શકો છો અથવા આધ્યાત્મિક કાર્યમાં સામેલ થઈ શકો છો. જો તમે કંઈક નવું શીખવાનું વિચારી રહ્યા છો તો આ સમયે કરી શકો છો.
જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમય અનુકૂળ છે. આ સમયે નાણાકીય બાબતોનો ઉકેલ આવી શકે છે. સામાજિક જૂથમાંથી લાભ થશે. મંગળવારના રોજ હનુમાન મંદિરમાં લાલ ફૂલ ચઢાવો. આ સાથે જલ્દી જ તમને મોટા ફાયદા થશે.