Homeધાર્મિક17 માર્ચથી શરૂ થશે...

17 માર્ચથી શરૂ થશે હોળાષ્ટક, ભૂલથી પણ ન કરવી જોઈએ આ વસ્તુઓ

હિંદુ પંચાંગ અનુસાર ફાગણ મહિનાના શુક્લ પક્ષની આઠમ તિથિથી પૂનમ તિથિ સુધી હોળાષ્ટક ચાલે છે. કહેવાઈ છે કે હોળીના તહેવારથી 8 દિવસ પહેલા હોળાષ્ટકની શરૂઆત થઈ જાય છે. હિંદુ ધર્મમાં હોળાષ્ટકનો દિવસ અશુભ માનવામાં આવે છે. આ સમયે કોઈ પણ માંગલિક કાર્ય કરવાની મનાઈ હોય છે. આ વર્ષે હોળાષ્ટક ક્યારથી શરૂ થઈ રહ્યા છે, ક્યારે ખતમ થઈ રહ્યા છે અને આ દિવસોમાં શું કરવુ શુભ અને અશુભ માનવામાં આવે છે.

હોળાષ્ટક ક્યારથી છે

વૈદિક પંચાંગ અનુસાર ફાગણ મહિનાના શુક્લ પક્ષની આઠમ તિથિની શરૂઆત 16 માર્ચે રાત્રે 09.39 મિનિટથી થઈ રહી છે. તેનું સમાપન આગલા દિવસે એટલે કે 17 માર્ચે સવારે 09.53 મિનિટ પર થશે. તેના કારણે 17 માર્ચથી હોળાષ્ટક શરૂ થશે. 24 માર્ચે હોલિકા દહનની સાથે હોળાષ્ટકનું સમાપન થઈ જશે.

હોળાષ્ટકમાં શું કરવુ જોઈએ

– હોળાષ્ટકમાં 8 દિવસ ભગવાન વિષ્ણુની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. આ સિવાય જીવનની મુશ્કેલીઓ દૂર કરવા માટે આ 8 દિવસમાં કુળદેવી-દેવતાઓની પૂજા કરવી જોઈએ.
– કહેવાઈ છે કે હોળાષ્ટકમાં દાન જેવા શુભ કાર્ય કરવા જોઈએ. તેનાથી જીવનમાં સુખ-શાંતિનો વાસ થાય છે અને સમસ્યાઓ દૂર થાય છે.
– હોળાષ્ટકમાં ભગવાન શિવની વિધિસર પૂજા કરવી જોઈએ. તેનાથી આવનારી મુશ્કેલીઓને ટાળી શકાય છે.

હોળાષ્ટકમાં શું કરવુ જોઈએ નહીં

  • હોળાષ્ટકમાં કોઈ પણ પ્રકારના નવા કાર્યની શરૂઆત કરવી શુભ માનવામાં આવતી નથી.
  • હોળાષ્ટકના 8 દિવસમાં લગ્ન જેવા માંગલિક કાર્યોની પણ મનાઈ હોય છે.
  • ગૃહ પ્રવેશ, મુંડન જેવા શુભ કાર્ય પણ હોળાષ્ટકમાં ભૂલથીપણ કરવા જોઈએ નહીં.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...