મહા અમાવસ્યા 2024 ઉપાય : હિંદુ કેલેન્ડર મુજબ, મહા મહિનામાં આવતી અમાસનું ઘણું મહત્વ છે. તેને મહા અમાવસ્યા પણ કહેવાય છે. આ વર્ષે મહા અમાસ 10 માર્ચે છે. તંત્ર સાધનાની સાથે પિતૃઓનું તર્પણ અને શ્રાદ્ધ કરવા માટે આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી અને દાન કરવાથી શુભ ફળ મળે છે.
આ સિવાય જો તમારી કુંડળીમાં શનિ દોષ, પિતૃ દોષ અથવા કાલસર્પ દોષ હોય તો, તમે મહા અમાવસ્યાના દિવસે કેટલાક જ્યોતિષીય ઉપાયો કરી શકો છો. આ ઉપાયોનું પાલન કરવાથી શુભ ફળ મળે છે. તો ચાલો જાણીએ મહા અમાવસ્યા પર કયા શુભ ઉપાયો કરવા જોઈએ…
મહા અમાવસ્યા (અમાસ) 2024 ક્યારે છે?
પંચાંગ અનુસાર, મહા અમાવસ્યા તિથિ 9 માર્ચે સાંજે 6.17 વાગ્યે શરૂ થઈ રહી છે, જે 10 માર્ચે બપોરે 2.29 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, ઉદયતિથિ અનુસાર, મહા અમાવસ્યા 10 માર્ચે છે.
સ્નાન અને દાન માટેનો શુભ સમય
મહા અમાસ પર સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે. આ દિવસે સવારે 4.49 થી 5.48 સુધી સ્નાન કરી શકાય છે. આ સાથે જ અભિજીત મુહૂર્ત બપોરે 12:08 થી 1:55 સુધી રહેશે.
પિતૃ દોષ થી છુટકારો મેળવવાના ઉપાયો
પીપળના વૃક્ષની પૂજા
મહા અમાસ પર પીપળના ઝાડના મૂળમાં જળ ચઢાવો. તેની સાથે દૂધ અને પાંચ પ્રકારની મીઠાઈઓ પણ ચઢાવો. ત્યારબાદ ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો, પવિત્ર દોરો પીપળે ચઢાવો અને ઘીનો દીવો કરો. આ પછી 5, 7 પરિક્રમા કરવી, તેનાથી પિતૃ દોષથી રાહત મળી શકે છે.
પિતૃઓને કેસરવાળી ખીર અર્પણ કરો
મહા અમાવસ્યાના દિવસે છાણાને દક્ષિણ તરફ સળગાવો અને તેના ધુમાડામાં ધીમે ધીમે કેસરવાળી ખીર ચઢાવો. આ સાથે, તમારા પૂર્વજોનું ધ્યાન કરો અને ક્ષમા માંગો. તેનાથી પિતૃદોષની આડ અસર ઘણી હદ સુધી ઓછી થાય છે.
તર્પણ કરો
મહા અમાવસ્યાના દિવસે સ્નાન કર્યા પછી, પિતૃઓનું ધ્યાન કરો અને તર્પણ અને શ્રાદ્ધ કરો. આનાથી પૂર્વજો ખૂબ જ પ્રસન્ન થશે.
કાલ સર્પ દોષ માટે
જો તમારી કુંડળીમાં કાલસર્પ દોષ હોય તો ફાગણ અમાવસ્યાના દિવસે ભગવાન શિવની વિધિવત પૂજા કરો. આ પછી, તાંબા અથવા ચાંદીના સાપની જોડી બનાવો અને તેને નદીમાં તરતા મૂકો.
શનિ દોષ માટે
મહા અમાવસ્યાના દિવસે કાચા દોરાને તમારી લંબાઈના બરાબર માપો. આ પછી આ દોરાને પીપળાની આસપાસ લપેટી લો. આમ કરવાથી શનિદોષનો અશુભ પ્રભાવ ઓછો થશે અને નોકરી-ધંધામાં પ્રગતિ થશે.