આખા વર્ષ દરમિયાન કુલ 12 પૂર્ણિમા આવતી હોય છે, દરેક પૂર્ણિમાનું પોતાનું આગવું મહત્વ હોય છે. બધા દિવસોમાંથી પૂર્ણિમાના દિવસને સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. જે પૈકી માઘ પૂર્ણિમાનું મહત્વ ખૂબ જ વધારે છે. આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે, જો ભક્તો પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની વિધિથી પૂજા કરે છે, તો તેમની અનંત કૃપા ભક્તો ઉપર હંમેશા રહે છે.
આ સાથે પૂનમના દિવસે સ્નાન, દાન અને જાપ કરવાને શુભ માનવામાં આવે છે. પૂજારીનું કહેવું છે કે, પૂનમના દિવસે હવન કરવો જ જોઈએ, જો તમે આ દિવસે ખાસ રીતે હવન કરશો, તો ભગવાન વિષ્ણુ હંમેશા પ્રસન્ન રહેશે. દેવઘરના જ્યોતિષીએ વિસ્તારપૂર્વક આની સમજૂતી આપી છે.
આ દિવસે છે માઘ પૂર્ણિમા
આ વર્ષે માઘ પૂર્ણિમા 24 ફેબ્રુઆરીએ છે. માઘ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવી જોઈએ, તેનાથી શુભ ફળ મળે છે. જે વ્યક્તિ આર્થિક મુશ્કેલીમાં હોય તેણે માઘ પૂર્ણિમાના દિવસે તલનો હવન કરવો જોઈએ. તેનાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થશે અને આર્થિક પરેશાનીઓ ખતમ થઈ જશે.
માઘ પૂર્ણિમાના દિવસે કરો હવન
જ્યોતિષીનું કહેવું છે કે, માઘ પૂર્ણિમાના દિવસે હવન અવશ્ય કરવો જોઈએ, તેનાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. માઘ પૂનમના દિવસે ગાયના શુદ્ધ ઘી, મધ, ખીર અને સફેદ તલ મિક્સ કરીને 21 વખત હવન કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને સફેદ તલ અને ખીર ખૂબ જ પસંદ છે. પંડિત નંદ કિશોર મુદગલ કહે છે કે, માઘ પૂર્ણિમાના દિવસે શ્રી સૂક્તનો પાઠ અવશ્ય કરવો જોઈએ. આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા મળશે અને તમને આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળશે.