સનાતન ધર્મમાં ગાયનું મહત્વ અનન્ય છે. ગાયને ગૌ માતા કહેવામાં આવે છે. એક માન્યતા છે કે, ગાયમાં 33 કોટી દેવી-દેવતાઓનો વાસ હોય છે. એવું પણ કહેવામાં આવે છે કે, જો તમે ગૌ સેવા કરી હોય, તો તમારે તીર્થયાત્રા કરવાની પણ જરૂર નથી. ગૌ સેવાને નારાયણ સેવા ગણવામાં આવે છે. ગાયને ઘાસચારો ખવડાવવાથી ઘણા ફાયદા થાય છે. ગાયને રોજ લીલો ચારો ખવડાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.
આવું કરવાથી મળશે તમામ સમસ્યાઓમાંથી છુટકારો
ઘણીવાર જોવામાં આવે છે કે, નાની નાની બાબતોને લઈને પરિવારોમાં ઝઘડા થાય છે અને ધંધામાં પણ નુકસાન થાય છે, ત્યારે બુધવાર-શુક્રવારે ગાયને લીલો ચારો ખવડાવવાથી આખા પરિવારમાં સમૃદ્ધિ આવે છે. જેનાથી પરિવારના તમામ સભ્યો ખુશ રહે છે. આ ઉપરાંત, જો તમને નોકરી અથવા વ્યવસાયમાં મુશ્કેલી આવતી હોય, તો તમારે બુધવારે અને શુક્રવારે ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઈએ. આવું કરવાથી તમારી તમામ સમસ્યાઓમાંથી છુટકારો મળી જાય છે.
દેવી લક્ષ્મી અને માતા અન્નપૂર્ણાના મળશે આશીર્વાદ
દરરોજ સ્નાન કર્યા પછી ગાયની પૂજા પણ અવશ્ય કરવી જોઈએ. રોજ ગાયની પૂજા કરવાથી દરેક દેવી-દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ઘરમાં રોજ ભોજન રાંધ્યા બાદ ગાય માટે પહેલી રોટલી કાઢી લેવી જોઈએ અને તેને ખવડાવી જોઈએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર, જે લોકો દરરોજ ગાય માતાની સેવા કરે છે, તેમને દેવી લક્ષ્મી અને માતા અન્નપૂર્ણા દ્વારા આશીર્વાદ મળે છે.
પિતૃદોષથી મળશે મુક્તિ
જો કોઈ વ્યક્તિને પિતૃદોષ હોય, તો ગાયને રોજ કે અમાસના દિવસ પર રોટલી અને ગોળ ખવડાવવો જોઈએ, આવું કરવાથી પિતૃદોષથી મુક્તિ મળશે.ગાયની સેવા તેમજ ઉપાસના કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને માતા લક્ષ્મી ભક્તોને માનસિક શાંતિ અને સુખી જીવનનું વરદાન આપે છે.