આ વર્ષે વસંત પંચમીના દિવસે મનાવવામાં આવતી સરસ્વતી પૂજા અને વેલેન્ટાઈન ડે, એક જ દિવસે એટલે કે 14 ફેબ્રુઆરીએ આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, વસંત પંચમી જ્યાં વિદ્યાર્થીઓ માટે મુખ્ય ઉત્સવ છે, તો વળી વેલેન્ટાઈન ડે કપલ્સ માટે હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પણ 14 ફેબ્રુઆરીનો દિવસ શુભ યોગ બની રહ્યો છે. આ દિવસે પતિ-પત્ની અથવા કપલ એકબીજાને શુક્ર સાથે જોડાયેલી વસ્તુઓની આપલે કરતા હોય છે, જેનાથી તેમની જિંદગી ખુશહાલ વિતે.
પતિ અને પત્ની અથવા કપલ્સ એક બીજાને ફુલ, પરફ્યૂમ, ગેજેટ્સ, જ્વેલરી, ગ્રીટિંગ વગેરે આપીને ઉત્સવને સેલિબ્રેટ કરી શકે છે. આ દિવસે કેમ કે વસંત પંચમી પણ છે, તો સ્ટૂડેન્ટ્સ માતા સરસ્વતીની પૂજા કરી અને ॐ ह्रीं श्रीं सरस्वत्यै नमः નો જાપ કરે. તમામ લોકોએ જળમાં ચપટી હળદર નાખીને સ્નાન કરવું અને દિવસની શરુઆત કરવી.
આ દિવસે વસંત પંચમી મનાવામાં આવે છે. આ દિવસે શુભ કાર્ય માટે યોગ્ય માનવામાં આવે છે. લોકાચારમાં આ દિવસ વેલેન્ટાઈન ડે પણ છે, જે પ્રેમાચારનો દિવસ છે. આ દિવસને અન્યથા ન લેતા સુખી જીવન શૈલી તરફ આગળ વધવું જોઈએ. પતિ-પત્ની એકબીજાને પોઝિટિવીટીની સાથે સાથે નેગેટિવિટીને પણ એક્સેપ્ટ કરવું જોઈએ. વિદ્યાર્થીઓ આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરે અને બૃદ્ધિ વિવેકથી કામ કરે. શિક્ષણ ક્ષેત્રથી જોડાયેલા લોકો આ દિવસ માતા સરસ્વતીની વંદના જરુરથી કરવી જોઈએ.
મેષ, કન્યા, તુલા, મીન અને કુંભ રાશિ માટે ખૂબ શુભ દિવસ
વસંત પંચમી અને વેલેન્ટાઈન ડેનો દિવસ મેષ, કન્યા, તુલા, મીન અને કુંભ રાશિના લોકો માટે ખૂબ જ શુભ સંકેત આપી રહ્યો છે. આ દિવસ પાંચ રાશિઓ માટે શુભ કાર્યની શરુઆત માટે યોગ્ય દિવસ છે. વસંત પંચમીનો દિવસ સફેદ રંગના વસ્ત્રો પહેરીને સરસ્વતી માતાની પૂજા કરો અને સરસ્વતી કવચ પાઠ જરુરથી કરો. આવું કરવાથી બુદ્ધિની પ્રાપ્તિ થશે અને એકાગ્રતા વધશે. પાંચ રાશિના જાતકોને દિવસની શરુઆતમાં હનુમાનજીને મીઠા ફળ ચડાવવા અને મીઠાઈનું સેવન કરવું.