શનિ દેવ વક્રી ચાલ, પૂર્વ ભાદ્રવદ નક્ષત્રના દ્વિતિય પદમાં ગોચર કરી રહ્યાં છે અને કુંભ રાશિમાં બિરાજમાન છે. શનિની ચાલ જાતકની કિસ્મત પલટી શકે છે. શનિ દેવની કુદ્રષ્ટિ જીવનની સમસ્યાઓ વધારી દે છે, તેવામાં શનિની ચાલ શુભ હોય તો જીવન રાજા સમાન થઇ જાય છે. હાલમાં જ શનિ દેવ 30 જૂને માર્ગીમાંથી વક્રી થયાં છે.
દિવાળીના દિવસે પણ શનિ દેવ ઊલટી ચાલમા જ ગોચર કરશે. શનિની વક્રી ચાલથી દિવાળી પછીના 13 દિવસ કઇ રાશિઓની કિસ્મત ચમકવાની છે.
ધનુ રાશિ
શનિની ઊલટી ચાલ ધનુ રાશિના જાતકો માટે દીવાળી પછીના 13 દિવસ લાભકારક સાબિત થઇ શકે છે. શનિ પોતાના ત્રીજા ભાવમાં ઊલટી ચાલ ચાલશે. સમાજમાં તમારી પદ-પ્રતિષ્ઠા વધશે. શનિના શુભ પ્રભાવથી ઘણા કાર્યોમાં સફળતા મળશે. આર્થિક મામલે તમારે સમજી-વિચારીને નિર્ણય લેવાની જરૂર છે. તેવામાં ઇન્વેસ્ટમેન્ટના ઘણા નવા ઓપ્શન આ દરમિયાન તમને મળી શકે છે.
મેષ રાશિ
કુંભ રાશિમાં વક્રી શનિ દિવાળી પછીના 13 દિવસ સુધી મેષ રાશિના જાતકો માટે ફાયદારક સાબિત થઇ શકે છે. તમારા 11મા ભાવમાં શનિ દેવ વક્રી ચાલ ચાલશે. આ રાશિના જાતકોને કરિયર લાઇફમાં ઘણા ટાસ્ક મળી શકે છે, જે તમારા ગ્રોથમાં મદદ કરી શકે છે. આર્થિક લાભ થવાની સંભાવના ઘણી વધારે છે. વેપારીઓને ઘણા સારા ઇન્વેસ્ટર્સ મળી શકે છે. લવ લાઇફમાં થોડો-ઘણો ઉતાર-ચડાવ રહેશે, જેને વાતચીત કરીને ઉકેલી શકાય છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે કુંભ રાશિમાં વક્રી શનિ દિવાળી પછીના 13 દિવસ સુધી ગુડ ન્યૂઝ લાવી શકે છે. આ રાશિના 7મા ભાવમાં શનિ વક્રી ગોચર કરશે. તમારી લાઇફમાં પોઝિટિવિટી બની રહેશે.
સ્વાસ્થ્યમાં થોડોઘણો ઉતાર-ચડાવ આવી શકે છે. તેથી સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. તેવામાં પરિવારના સભ્યો સાથે ફરવા પણ જઇ શકો છો. સ્ટુડન્ટ્સને કોઇ ગુડ ન્યુઝ મળી શકે છે. આર્થિક સ્થિતિ પણ સારી રહેવાની છે.