તા.6ઠ્ઠીના શનિવારથી અષાઢી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. અષાઢી નવરાત્રી ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે. આ વર્ષે અષાઢ નવરાત્રી નો પ્રારંભ અષાઢ સુદ એકમ ને શનિવાર તા 6.7.24 થી થશે જ્યારે નવરાત્રી તારીખ 15 જુલાઈ અષાઢ શુદ નોમ ના દિવસે પૂર્ણ થશે આ વર્ષે અષાઢી નવરાત્રી ત્રીજ તિથિ ની વૃદ્ધિ હોવા થી નોરતા નવ ને બદલે દસ દિવસ ચાલશે પરંતુ નોરતું વધે તે શુભ ગણવામાં આવે છે.
જ્યારે અષાઢી નવરાત્રી દરમિયાન અષાઢી બીજના દિવસે રવિ પુષ્યમૃત યોગ છે આ પણ માતાજીની ઉપાસના કુળદેવીની ઉપાસના માટે શુભ અને ઉત્તમ છે આ દિવસે શ્રી યંત્રની પૂજા કરવી શ્રી સૂક્તના પાઠ કરવા કુળદેવીની પૂજા કરવી જપ કરવા ઉત્તમ ફળ આપનાર બનશે અષાઢી નવરાત્રી ખાસ કરીને આસામમાં મા ઉજવવામાં આવે છે કામેરુ દેશ આસામને કહેવામાં આવે છે અને કામાખ્યા મા માતાજી મા કામાક્ષી પૂજા કરવામાં આવે છે .
ખાસ કરીને અષાઢી નવરાત્રી દરમિયાન તંત્ર પૂજા તુરંત ફળ આપનાર બને છે.ગુપ્ત નવરાત્રીની દસદેવીઓના નામો નીચે મુજબ છે. જેમાં માતા કાલિકા,તારાદેવી, ત્રિપુર સુંદરી, માતા ભુવનેશ્ર્વરી, માતા છિન્નમસ્તા, માતા ત્રિપુર ભૈરવી, માધુમાવતી, માતા બગલામુખી, માતા માતંગી, માતા કમલાદેવી વેગેરે ગુપ્ત નવરાત્રીના દસ મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે. દસ મહાવિદ્યાઓનું શ્રદ્ધાથી આરાધના કરવામાં આવે તો જીવન ધન-ધાન્ય અને સુખથી સંપન્ન બને છે.