હિન્દુ ધર્મમાં ચર્તુમાસનું વિશેષ મહત્વ હોય છે. આ મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત છે. હિન્દુ પંચાંગના અનુસાર, ચર્તુમાસ અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીથી શરૂ થઈને કાર્તક માસના શુક્લ પક્ષની એકાદશીના રોજ સમાપ્ત થાય છે. માન્યતા છે કે ચર્તુમાસમાં ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં જતા રહે છે અને દેવઉઠી એકાદશીના દિવસે શ્રીહરી યોગમાં જાગે છે.
આ વર્ષે 17 જુલાઈ 2024થી ચર્તુમાસ શરૂ થશે અને 12 નવેમ્બર 2024ના દેવઉઠી એકાદશીએ સમાપ્ત થશે.
મેષ રાશિ- જ્યોતિષ શાસ્ત્રના અનુસાર, મેષ રાશિના લોકો માટે ચર્તુમાસ અત્યંત શુભ રહેશે. આ રાશિના જાતકોને આર્થિક પ્રગતિની સાથે કરિયરમાં પણ સફળતા મળી શકે છે. જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે. તેમજ આ સમયગાળામાં પૈસા કમાવવાની અનેક તકો પણ પ્રાપ્ત થશે.
વૃષભ રાશિ- વૃષભ રાશિના લોકો માટે ચાર મહિનાના અત્યંત શુભ રહેશે. આ મહિને ભગવાન વિષ્ણુની કૃપાથી તમને ઘણી ઉપલબ્ધી મળી શકે છે. આવકમાં વધારો થઈ શકે છે. તેમજ આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. વેપારીઓ માટે આ સમયગાળો સારો રહેશે.
સિંહ રાશિ- સિંહ રાશિના લોકો માટે ચર્તુમાસનો મહિનો લાભકારી રહેશે. આ મહિને ભગવાન વિષ્ણુનીની કૃપાથી ઘણી મોટી ઉપલબ્ધિ મળી શકે છે. આવકમાં વધારો થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તેમજ વેપારીઓ માટે આ સમયગાળો શુભ રહેશે.