જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ અને કેતુને છાયા ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. રાહુ અને કેતુનું નામ પડતા જ લોકો ધ્રુજવા લાગતા હોય છે કારણ કે તેમને અશુભ ગ્રહ માનવામાં આવે છે. કેટલાક લોકોનું માનવું છે કે આ બંને ગ્રહો માનવ જીવન પર નકારાત્મક અસર પાડે છે. જ્યોતિષ મુજબ કેતુ અને રાહુ વ્યક્તિની કુંડળીમાં પોતાની અલગ અલગ સ્થિતિઓ અને સ્થિતિના આધાર પર પરિણામ આપે છે.
ક્યારે થશે ગોચર
હાલમાં રાહુ અને કેતુ મીન અને કન્યા રાશિમાં ગોચર કરે છે. રાહુ કેતુ હંમેશા વક્રી ચાલ ચલે છે. આગામી વર્ષે 28 મે 2025 સુધી તેઓ આ રાશિઓમાં રહેશે. ત્યારબાદ સાંજે 4.30 વાગે રાહુ શનિની રાશિ કુંભમાં અને કેતુ સિંહ રાશિમાં પ્રવેશ કરશે.
કુંભ રાશિ
કુંભ રાશિવાળા માટે રાહુ કેતુ ગોચર ખુબ જ લાભકારી સાબિત થશે. કુંભ રાશિનો સ્વામી શનિ છે. શનિ અને રાહુ વચ્ચે મિત્રતાનો ભાવ છે. શનિ અને રાહુ મળીને કુંભ રાશિના જાતકોને શુભ પરિણામ આપશે. મે 2025થી આવનારા અઢી વર્ષનો સમય આ રાશિ માટે વરદાન સાબિત થશે. આ સમયગાળામાં જમીન, ભવન કે વાહનની ખરીદી શક્ય છે. કરિયરમાં મોટી ઉપલબ્ધિઓ મળશે.
સિંહ રાશિ
સિંહ રાશિવાળા માટે રાહુ અને કેતુનું રાશિ પરિવર્તન શુભ રહેશે. સિંહ રાશિવાળા માટે મે 2025થી આવનારા અઢી વર્ષ ખુબ લાભકારી સાબિત થશે. રાહુ અને કેતુના પ્રભાવથી તમને કરિયરમાં પ્રગતિ મળી શકે છે. નોકરીયાતોને આવક વધવાની સાથે પ્રમોશન મળી શકે છે. જીવનસાથીનો સાથ મળશે. કોર્ટ કચેરીના મામલાઓમાં વિજય મળશે. સંબંધો સુધરશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે રાહુ અને કેતુ ગોચર પોઝિટિવ પરિણામ લઈને આવશે. 2025 મેથી ગોલ્ડન પીરિયડ શરૂ થઈ શકે છે. રાહુ કેતુ મળીને વૃષભ રાશિવાળાના જીવનમાં ખુશીઓ ભરશે. આર્થિક રીતે પ્રગતિ થશે. ધનનું આગમન થશે અને તમે પૈસા બચાવવામાં પણ સફળ રહેશો. બધુ મળીને આ ગોચર તમારા માટે વરદાનથી કમ નહીં હોય.