શુભ અને અશુભ વસ્તુઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, કોઈ પણ કામ માટે ઘરની બહાર નીકળતા પહેલા કેટલીક વસ્તુઓ દેખાવી શુભ હોય છે. તેને જોવાથી બધા કામ થઈ જાય છે. આવો જાણીએ ઘરની બહાર નીકળતી વખતે કઈ વસ્તુઓ જોવાનું શુભ માનવામાં આવે છે.
ઘરની બહાર નીકળતી વખતે આ વસ્તુઓ જોવી છે શુભ
1. સફેદ બિલાડી
સફેદ બિલાડીને શુભ અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે.
જો તમને ઘરની બહાર નીકળતી વખતે સફેદ બિલાડી દેખાય છે, તો તેનો અર્થ એ છે કે તમારા દિવસની શરૂઆત સારી થશે અને તમારા બધા કામ પૂર્ણ થશે.
2. ઉડતું પક્ષીઓ
પક્ષીઓને જોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે ઘરની બહાર નીકળતી વખતે કોઈ પક્ષી ઉડતું જુઓ છો, તો તેનો અર્થ એ છે કે તમને કોઈ સારા સમાચાર મળશે. જો પક્ષી તમારા માથા પર ઉડે છે, તો તેનો અર્થ એ છે કે તમને મોટો નફો મળશે.
3. સાધુ-સંત
સાધુઓને ત્યાગ અને સંતોષનું પ્રતીક માનવામાં આવે છે. જો તમને ઘરની બહાર નીકળતી વખતે કોઈ સાધુ દેખાય છે તો તેનો અર્થ એ છે કે, તમે દિવસભર શાંતિ અને સંતોષનો અનુભવ કરશો.
4.હસતું બાળક
બાળકો સ્વભાવે નમ્ર, નિર્દોષ અને દિલથી સાચા ગણાય છે. જો તમે ઘરની બહાર નીકળતી વખતે કોઈ બાળકને હસતા જુઓ છો તો તેનો અર્થ એ છે કે, તમારા દિવસની શરૂઆત સારી થશે.
5. લીલો રંગ
લીલો રંગ પ્રકૃતિ અને વૃદ્ધિનું પ્રતીક છે. જો તમને ઘરની બહાર નીકળતી વખતે લીલો રંગ દેખાય છે, તો તેનો અર્થ છે કે, તમને દિવસભર સફળતા અને સમૃદ્ધિ મળશે. તમારા બધા પેન્ડિંગ કામ પૂરા થશે.
6. ગાય
હિન્દુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે. જો તમને ઘરની બહાર નીકળતી વખતે ગાય દેખાય અથવા ગાય પોતાના બચ્ચાને દૂધ પીવડાવતી દેખાય તો સમજી લેવું કે તમારો આખો દિવસ ખૂબ જ શુભ રહેવાનો છે. ઘોડો, હાથી જોવો એ પણ એક શુભ સંકેત છે.
7. શંખ અથવા મંદિરના ઘંટનો અવાજ
જો તમને ઘરથી બહાર નીકળતી વખતે અથવા યાત્રા પર જતી વખતે શંખ અથવા મંદિરની ઘંટડીનો અવાજ સંભળાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે, તમારી યાત્રા ખૂબ જ શુભ રહેવાની છે.
8. પાણી ભરેલું વાસણ
ઘરની બહાર નીકળતી વખતે પાણીથી ભરેલું વાસણ જોવું ખૂબ જ સારું માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે, તમે જે પણ કામ હાથ ધરી રહ્યા છો તે જલ્દી પૂર્ણ થવાનું છે.
9. ફૂલની માળા
શકુન શાસ્ત્ર અનુસાર જો તમને ઘરની બહાર નીકળતી વખતે ફૂલની માળા દેખાય તો સમજવું કે તમારા ઘરમાં જલ્દી જ કોઈ શુભ ઘટના બનવાની છે.
10. અર્થી દેખાવી
ઘરની બહાર નીકળતી વખતે અર્થી જોવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ એક શુભ સંકેત છે જેનો અર્થ છે કે, તમારા જીવનમાં જલ્દી જ કેટલાક સારા ફેરફારો થવાના છે.
11. માછલી અથવા હાથી
ઘરની બહાર નીકળતી વખતે માછલી કે હાથી દેખાય તો તે પણ શુભ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં માછલી અને હાથીને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમને માછલી કે હાથી દેખાય તો સમજી લેવું કે ભાગ્ય તમારો સાથ આપશે.