વેદ વ્યાસ રચિત 18 પુરાણોમાં શિવ પુરાણનું ખુબ મહત્વ છે. આ પાવન ગ્રંથ વાંચવા અને સાંભળવાથી શિવની કૃપા પ્રાપ્ત થાય છે. જીવનમાં શુભતા આવે છે અને સૌભગ્ય-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. પિતૃદોષથી મનુષ્યના જીવનમાં હંમેશા ધન સંકટ, સ્વાસ્થ્ય સમસ્યા, કલેશ અને તણાવ રહે છે. કેટલાક ઉપાય માત્ર પિતૃ દોષથી મુક્તિ જ નહિ, પરંતુ જીવનની ઘણી સમસ્યાઓ પણ દૂર કરશે.
ધન ઐશ્વર્યાના ઉપાય
જો તમે ધન-એશ્વર્ય મેળવવા માંગો છો, તો તમે રોજ રાતે 11 થી 12 વચ્ચે શિવલિંગ સામે 1 દીવો પ્રગટાવો. શિવ સ્તોત્રનો પાઠ કરો. શિવ પુરાણનો આ ઉપાય ધન, વૈભવ અને એશ્વર્યની પ્રાપ્તિમાં મદદગાર સિદ્ધ થઇ શકે છે.
પિતૃ દોષ મુક્તિના ઉપાય
પિતૃદોષ મુક્તિ માટે સ્વચ્છ અને શીતળ જળમાં જાવ ભેળવી શિવલિંગનો અભિષેક કરો. આ ઉપાય રોજ કરવાથી પિતૃદોષ દૂર થાય છે અને આ કારણથી જીવનમાં આવી રહેલ બાધાઓ પણ ધીરે-ધીરે સમાપ્ત થાય છે.
બાધામાં શાંતિના ઉપાય
તમે જીવન વિઘ્ન-અડચણથી પરેશાન છો અથવા મહત્વપૂર્ણ કામ અટકી પડ્યું છે, તો તમે જળમાં કાળા તલ ભેળવી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. એવું કરવાથી જીવનની પણ અડચણ જલ્દી દૂર થાય છે.
દેવા મુક્તિના ઉપાય
જો તમે બેન્ક અથવા કોઈ પાસે ઉધાર લીધેલું છે, એની EMI ભરવામાં તકલીફ પડી રહી છે અથવા દેવામાંથી મુક્ત થવા માંગો છો, તો દરરોજ જળમાં અક્ષત નાખી શિવલિંગનો અભિષેક કરો. શિવ પુરાણના આ ઉપાયથી મુક્તિ મળશે અને ધન પ્રાપ્તિના રસ્તાઓ ખુલશે.