સનાતન ધર્મમાં રત્નોના આધારે ઘણા જ્યોતિષી ઉપાયો જણાવવામાં આવ્યા છે. જો કોઈ જાતકની કુંડળીમાં ગ્રહ અને નક્ષત્રની સ્થિતિ ખરાબ હોય અથવા દશા, મહાદશા, યોગ, કરણ વગેરેના કારણે કુંડળીમાં દોષ હોય તો રત્ન દ્વારા પણ ઉપાય કરી શકાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિ, રાહુ, કેતુની મહાદશા હંમેશા દુઃખ આપે છે, ત્યાં જ શુભ ગ્રહના અસ્ત થવા પર પણ જીવનમાં તકલીક આપી શકે છે.
એ ઉપરાંત કુંડળીમાં રાશિ સ્વામી અને શુભ ગ્રહો મજબૂત હોય તો સંસારીયા સુખોની પ્રાપ્તિ થાય છે. એવામાં તમે રત્ન જ્યોતિષના આધારે પણ કમજોર ગ્રહોનો પ્રભાવ ઓછો કરી શકો છો. આ અંગે ચાલો જાણીએ વિગતવાર….
મેષ: આ રાશિનો સ્વામી મંગળ છે અને શુભ રત્નો મૂંગા, પૂખરાજ અને માણેક છે. તમે આમાંથી કોઈપણ એક રત્ન પહેરી શકો છો.
વૃષભ: આ રાશિનો સ્વામી શુક્ર છે અને આરાધ્ય દેવી આદિશક્તિ મા દુર્ગા છે. આ રાશિના લોકોએ હીરા, પન્ના અને નીલમ પહેરવા જોઈએ.
મિથુન: આ રાશિનો સ્વામી બુધ છે. આરાધ્ય ભગવાન ગણેશ છે. તેમણે પન્ના, હીરા અને નીલમ પહેરવા જોઈએ.
કર્કઃ આ રાશિનો સ્વામી ચંદ્ર ભગવાન છે. તેમના માટે શુભ રત્નો મોતી, પૂખરાજ અને મૂંગા છે.
સિંહઃ આ રાશિનો સ્વામી સૂર્ય દેવ છે. આ લોકોએ માણેક, મૂંગા અને પૂખરાજ પહેરવા જોઈએ.
કન્યાઃ આ રાશિનો સ્વામી બુધ છે. શુભ રત્નો પન્ના, હીરો અને નીલમ છે.
તુલા: સ્વામી શુક્ર છે અને આરાધ્ય દેવી આદિશક્તિ મા દુર્ગા છે. તેમણે હીરો, પન્ના અને નીલમ જેવા રત્નો પહેરવા જોઈએ.
વૃશ્ચિક: આ રાશિનો સ્વામી મંગળ છે અને વ્યક્તિએ મૂંગા, પૂખરાજ અને માણેક પહેરવા જોઈએ.
ધનુ: આ રાશિના દેવતા ભગવાન વિષ્ણુ છે. શુભ રત્નો પૂખરાજ અને માણેક છે. ધન રાશિવાળા લોકો તેમની કુંડળીમાં ગુરુને મજબૂત કરવા માટે પૂખરાજ પહેરી શકે છે.
મકર અને કુંભ: આ બંને રાશિઓનો સ્વામી શનિદેવ છે. શુભ રત્નો નીલમ, પન્ના અને હીરો છે. તમે સારા નસીબ માટે નીલમ રત્ન ધારણ કરી શકો છો.
મીનઃ આ રાશિનો સ્વામી દેવગુરુ ગુરુ છે. શુભ રત્ન પૂખરાજ અને માણેક છે.