વૈદિક પંચાંગ મુજબ, દર મહિનાની પૂર્ણિમાની તિથિ પર પૂર્ણિમા વ્રત રાખવામાં આવે છે. હાલમાં વૈશાખ મહિનો ચાલી રહ્યો છે અને વૈશાખ માસની શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ વૈશાખ પૂર્ણિમા ઉજવવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર વૈશાખ પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા કહેવામાં આવે છે. કારણ કે આ દિવસે ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો.
ધાર્મિક માન્યતાઓ અનુસાર વૈશાખ પૂર્ણિમાના દિવસે દાન, સ્નાન, જપ, તપ અને પૂજા વગેરેનું વિશેષ મહત્વ છે. આ પૂર્ણિમાની તિથિ તમામ પૂર્ણિમાઓમાં વિશેષ માનવામાં આવે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર વૈશાખ પૂર્ણિમાના દિવસે ગંગામાં સ્નાન કરવાનું ઘણું મહત્વ છે. જે લોકો આ દિવસે ગંગા સ્નાન કરે છે તેમને તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે. જ્યોતિષીઓનું માનવું છે કે આ વખતે વૈશાખ પૂર્ણિમાની તિથિ પર ભદ્રાની છાયા રહેવાની છે. તો આજે જાણીશું કે ભદ્રાની છાયા કેટલો સમય રહેશે. સાથે જ તેનો કેવો પ્રભાવ પડશે?
ક્યારે છે વૈશાખ પૂર્ણિમા
વૈદિક પંચાંગ અનુસાર, વૈશાખ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે વૈશાખ પૂર્ણિમા વ્રત રાખવામાં આવે છે. આ વખતે વૈશાખ પૂર્ણિમાનું વ્રત 23 મે 2024ના રોજ રાખવામાં આવશે. જ્યોતિષીઓનું માનવું છે કે વૈશાખ પૂર્ણિમાના દિવસે અનેક શુભ સંયોગો બની રહ્યા છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, શિવ વાસ યોગ અને અમૃત સિદ્ધિ યોગ રચાશે. આવી સ્થિતિમાં વૈશાખ પૂર્ણિમાનું મહત્વ વધુ વધી ગયું છે. આ દિવસે ધનની દેવી મા લક્ષ્મી અને જગતના પાલનહાર ભગવાન વિષ્ણુની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે.
વૈશાખ પૂર્ણિમાનું મહત્વ
ધાર્મિક માન્યતાઓ અનુસાર જે લોકો વૈશાખ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તે તમામ પાપોથી મુક્ત થાય છે. તેમજ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તેમની કૃપા રાખે છે. આ દિવસે વ્રત કરનારા લોકોને ક્યારેય ધનની કમી આવતી નથી. દેવાની સમસ્યામાંથી રાહત મળે છે. જણાવી દઈએ કે આ વખતે વૈશાખ મહિનાની પૂર્ણિમાની તિથિએ ભદ્રાની છાયા રહેશે. પરંતુ તેનો પ્રભાવ નિષ્ક્રિય રહેશે.
પૂર્ણિમા તિથિનું શુભ મુહૂર્ત
વૈદિક જ્યોતિષ અનુસાર, વૈશાખ પૂર્ણિમા 22 મે 2024 ના રોજ સાંજે 5 વાગીને 42 મિનિટે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 23મી મેના રોજ સાંજે 6:42 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર 23મી મેના રોજ પૂર્ણિમા વ્રત રાખવામાં આવશે. જ્યોતિષોના મતે, પૂર્ણિમાના દિવસે મૃત્યુ લોકમાં ભદ્રાની છાયા હોય છે પરંતુ આ માન્ય રહેશે નહીં. કારણ કે પૂર્ણિમાના દિવસે ભદ્રા સાંજે 6.32 કલાકે જ સમાપ્ત થશે. તેથી પૂર્ણિમાના દિવસે દાન, સ્નાન વગેરે કરી શકાય છે.