વૈદિક જ્યોતિષ અનુસાર, ગ્રહો સમયાંતરે રાશિ પરીવર્તન કરીને શુભ યોગ અને રાજયોગનું નિર્માણ કરે છે. જેનો પ્રભાવ સીધો મનુષ્યના જીવન અને દેશ-દુનિયા પર થાય છે. હાલ શનિ દેવ તેની પોતની રાશિ કુંભમાં ગોચર કરવા જઇ રહ્યા છે, તો 19 મેના રોજ શુક્ર દેવ તેની રાશિ વૃષભમાં પ્રવેશ કરવા જઇ રહ્યા છે. જેથી શશ અને માલવ્ય રાજયોગનું નિર્માણ થવા જઇ રહ્યું છે.
આપને જણાવી દઇએ કે આ રાજયોગ 30 વર્ષ બાદ બની રહ્યો છે. જેથી અમુક રાશિઓનું ભાગ્ય બદલી શકે છે. સાથે જ ધનલાભ પણ થશે.
વૃષભ રાશિ
આ રાશિના જાતકો માટે માલવ્ય અને શશ રાજયોગ લાભકારી સાબિત થઇ શકે છે. તમારા કરિયરમાં તમારા કામના લીધે ઓફિસમાં તમારી સરાહના થશે. બિઝનેસમાં ધન લાભના અવસરો મળશે. નોકરિયાત લોકોને પ્રમોશન મળી શકે છે. જો તમે કોઇ બિઝનેસ કરો છો તો તેમાં લાભ થઇ શકે છે. જો કોઇ વિદેશ જવા ઇચ્છે છે અથવા વિદેશમાં અભ્યાસ માટે જવા ઇચ્છે છે તો તેમે પણ અવસર મળશે. ભાગ્યનો સાથે મળશે. તમારા પિતા તરફથી સંપૂર્ણ સહયોગ મળશે.
મકર રાશિ
માલવ્ય અને શશ રાજયોગ મકર રાશિના જાતકોમાં માટે ખૂબ જ ફળદાયી રહેશે. આ દરમિયાન તમને સમયાંતરે આકસ્મિક ધનલાભ થઇ શકે છે. નવા પ્રોજેક્ટ્સ મળશે આ ઉપરાંત આવકના યોગ પણ બની રહ્યા છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થઇ શકે છે. સાથે જ પૈસાની બચત કરવામાં સફળતા મળશે. નોકરિયાત લોકોને પ્રમોશન અને ઇન્ક્રિમેન્ટ મળી શકે છે. તમારા કોમ્યુનિકેશનમાં સુધારો થવાથી લોકો તમારાથી ઇમ્પ્રેસ થશે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે માલવ્ય અને શશ રાજયોગ ખાસ લાભકારી સાબિત થઇ શકે છે. આ દરમિયાન તમને બિઝનેસમાં ખૂબ પૈસા કમાવાના અવસરો મળશે.
નોકરીયાત લોકોને ધનલાભ થશે અને પ્રમોશન પણ મળી શકે છે. તમે પ્રોપર્ટી કે વાહન ખરીદી શકો છો. આ દરમિયાન તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. સાથે જ ફિલ્મ લાઇન, મીડિયા, મોડેલિંગ અને ફેશન ડિઝાનિંગ સંબંધિત કામ કે બિઝનેસ કરતા લોકોને સારો લાભ થઇ શકે છે.