વૈદિક જ્યોતિષ અનુસાર, ગ્રહ સમયાંતરે ગોચર કરીને શુભ અને અશુભ યોગનું નિર્માણ કરે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઇએ કે, ગુરુ ગ્રહે 1 મેના રોજ વૃષભ રાશિમાં ગોચર કરી લીધું છે અને કેતુ ગ્રહ 30 ઓક્ટોબરથી કન્યા રાશિમાં સ્થિત છે. તેવામાં આ બંને ગ્રહો એકબીજાના નવમા અને પાંચમા ભાવમાં બિરાજમાન છે, જેનાથી નવપંચમ રાજયોગનું નિર્માણ થઇ રહ્યો છે અને આ યોગ સિંહ રાશિમાં બની રહ્યો છે.
જેનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે, જેની આ સમયે કિસ્મત પલટી શકે છે. સાથે જ આ લોકોની ધન-સંપત્તિમાં અપાર વધારો થઇ શકે છે. ચાલો જાણીએ આ લકી રાશિઓ કઇ છે.
વૃષભ રાશિ
તમારા માટે નવપંચમ યોગ લાભપ્રદ સિદ્ધ થઇ શકે છે. આ દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઇ શકે છે. સાથે જ આવકના નવા સ્ત્રોત બની શકે છે. તેવામાં આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવશે. સાથે જ તમારી કાર્ય યોજનાઓ ખૂબ જ સફળ થશે. તેવામાં આ સમયે તમને બિઝનેસમાં શાનદાર સફળતા મળી શકે છે. તેવામાં આ સમયગાળામાં વેપારી વર્ગને કોઇ બિઝનેસ ડીલ મળી શકે છે. જેનાથી ભવિષ્યમાં લાભ થઇ શકે છે. તેવામાં તમને ધન કમાવવાની સાથે જ ધનની બચત કરવામાં સફળતા મળશે.
મિથુન રાશિ
નવપંચમ યોગ બનવાથી મિથુન રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થઇ શકે છે. આ દરમિયાન તમારી વિચારેલી યોજનાઓ સફળ થશે. તેવામાં આ સમયે તમને માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. તમને નવા રોકાણથી લાભ થશે. નવા બિઝનેસમાં સફળતા મળશે. સાથે જ આ દરમિયાન તમારા જીવનસાથી સાથે સંબંધ પહેલા કરતાં સુધરશે. જીવનસાથીની પણ આ સમયે પ્રગતિ થશે. સાથે જ આ સમયગાળામાં તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે.
મકર રાશિ
તમારા માટે નવપંચમ યોગ લાભપ્રદ સિદ્ધ થઇ શકે છે. આ સમયગાળામાં તમારી ધન-સંપત્તિમાં વધારો થશે. તેવામાં આ સમયે તમે કોઇ નવું વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. પૈતૃક સંપત્તિમાં પણ તમને ઘણો લાભ થઇ શકે છે. કરિયરમાં પણ તમને શાનદાર તકો મળી શકે છે. આ સમયગાળામાં વેપારીઓને બિઝનેસમાં તગડો લાભ થઇ શકે છે. સાથે જ આ દરમિયાન તમને સંતાન સાથે જોડાયેલા કોઇ શુભ સમાચાર મળી શકે છે. આ સમયે તમે બચત કરવામાં સફળ રહેશો.