હિંદુ ધર્મમાં ચતુર્થી તિથિ ભગવાન ગણેશને સમર્પિત છે. ચતુર્થી વ્રત રાખવા અને ગણેશજીની વિધિ-વિધાનથી પૂજા કરવાથી વિઘ્નહર્તા ગણેશ બધા દુખ-સંકટ હરી લે છે. દર મહિનાની કૃષણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી અને શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચર્તુર્થી કહે છે. 11મેના રોજ વૈશાખ મહિનાની વિનાયક ચતુર્થી છે. આ દિવસે ઘણા એવા શુભ યોગ બની રહ્યા છે જેમને જ્યોતિષમાં શુભ ગણવામાં આવે છે.
આ યોગ કેટલીક રાશિવાળાઓને ધન વૃદ્ધિ કરાવશે, માન સન્માન અપાવશે.
વિનાયક ચતુર્થી 2024 શુભ મુહૂર્ત
પંચાગ અનુસાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 11 મેના રોજ બપોરે 2:50 મિનિટ પર શરૂ થશે અને 12 મેના રોજ બપોરે 2:03 મિનિટ પર સમાપ્ત થશે. એવામાં ઉદયા તિથિના અનુસાર વિનાયક ચતુર્થી 11મે શનિવારના દિવસે ઉજવવામાં આવશે. 11 મેના રોજ વિનાયક ચતુર્થી વ્રત રાખવામાં આવશે.
વિનાયક ચતુર્થી 2024 શુભ યોગ
આ વખતે વિનાયક ચતુર્થી પર ઘણા શુભ યોગનો સંયોગ બની રહ્યો છે. તેમાં સુકર્મા યોગ, ધૃતિ યોગ, મૃગશિરા નક્ષત્ર સામેલ છે. આ તમામ શુભ યોગ એકદમ મંગળકારી ગણવામાં આવે છે અને મનવાંછિત ફળ આપનાર છે. આવો જાણીએ કે આ શુભ યોગોના લીધે 11 મેના રોજ વિનાયક ચતુર્થી કઇ 4 રાશિઓ માટે શુભ રહેશે.
મિથુન:
સમજી વિચારીને કામ કરશો તો સફળ રહેશો. આજે તમારો દિવસ સારો રહેશ. તમામ સાથે વિનમ્રતા સાથે વાત કરો, લોકો તમારું સન્માન કરશે. જીવનમાં સુખ-સુવિધા વધશે. વેપાર વર્ગને પોતાના કર્મચારીઓનું ધ્યાન રાખવું જોઇએ. તમે તેમના સહયોગથી ખૂબ લાભ કમાઇ શકશો.
કન્યા:
તમારા બોસને માન આપો અને તેમની આજ્ઞા પણ માનો. તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે. તમારા માટે લાભદાયક દિવસ છે. વેપારીઓને ઘણી કમાણી થશે. ઘરમાં સમય પસાર કરો, તમને શાંતિ મળશે.
ધન:
તમને જરૂરી સહયોગ મળશે અને તમારું કામ સરળતાથી થઈ જશે. વેપારમાં ભાગીદારીથી લાભ થશે. લવ લાઈફ સારી રહેશે. તમને આર્થિક લાભ થશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
મીન:
વેપારી વર્ગ માટે ગ્રાહકો સાથે સારો વ્યવહાર કરવો ખૂબ જ ફાયદાકારક રહેશે. સબ્સ્ક્રિપ્શન્સ વધશે. આવકમાં વધારો થશે. કરિયરમાં પ્રગતિ થશે. નવી કાર, મકાન ખરીદી શકો છો. દિવસ આનંદમાં પસાર થશે.