વાસ્તુ શાસ્ત્રમાં મનુષ્યના જીવનમાં આવનારી અનેક સમસ્યાનું સમાધાન જણાવવામાં આવ્યું છે. વાસ્તુ અનુસાર, ઘરની રસોઈ માટે ઘણા મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવામાં આવે તો ભાગ્ય જાગી જાય છે. એ ઉપરાંત જે વ્યક્તિ વાસ્તુના આ નિયમોનું પાલન કરે છે, એને શુભ અને ફળદાયી પરિમાણની પ્રાપ્તિ થાય છે. એવામાં એ જાણવું જરૂરી છે કે કિચનમાં કઈ વસ્તુઓ હોય છે, જેને ક્યારેય ખાલી કે ખતમ ન થવા દેવું જોઈએ.
રસોડામાંથી આ 4 વસ્તુઓ ન ખાલી થવી જોઈએ
1. મીઠું
આપણામાંના મોટા ભાગના લોકોને રસોડાની બધી ચીજવસ્તુઓ પૂરી થયા પછી જ પાછા ખરીદવાની આદત હોય છે. પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર કેટલીક એવી વસ્તુઓ છે જેનું સંપૂર્ણ ખતમ થવું સારું માનવામાં આવતું નથી અને તેમાંથી એક છે મીઠું. એવું કહેવામાં આવ્યું છે કે જે પણ કન્ટેનરમાં મીઠું રાખવામાં આવે છે, તે ક્યારેય ખાલી ન હોવું જોઈએ. તેનાથી નકારાત્મકતા પેદા થઈ શકે છે.
2. હળદર
હળદરની વાત કરવામાં આવે તો તેને રસોડામાં સૌથી મહત્વપૂર્ણ મસાલો માનવામાં આવે છે. શુભ કાર્યો હોય, પૂજા હોય, સ્વાસ્થ્ય હોય કે સૌંદર્ય, દરેક જગ્યાએ તેનું વિશેષ મહત્વ છે. સાથે જ ભોજનનો સ્વાદ વધારવામાં તેનું નામ સૌથી પહેલા આવે છે. આવી સ્થિતિમાં, તે ઝડપથી સમાપ્ત થવું સામાન્ય છે. પરંતુ, તે સમાપ્ત થાય તે પહેલાં તેને પાછું ખરીદવું જોઈએ. વાસ્તુ અનુસાર ઘરના રસોડામાં હળદર ક્યારેય ખતમ ન થવી જોઈએ. આ શુભ માનવામાં આવતું નથી.
3. લોટ
આપણું ભોજન લોટ વિના પૂર્ણ થવું શક્ય નથી. તે આપણા આહારનો આવશ્યક ભાગ છે કારણ કે તેમાંથી ઘણી વાનગીઓ બનાવવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ તેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, તેથી જ કહેવાય છે કે રસોડામાં લોટ ખતમ ન થવો જોઈએ. તેનાથી માન-સન્માન ઘટે છે અને નુકસાનકારક પણ છે.
4. ચોખા
મીઠું, હળદર અને લોટની જેમ ચોખાને પણ તમારા રસોડામાંથી ખતમ ન થવા દો. તેના સમાપ્ત થાય તે પહેલાં ખરીદવું વધુ સારું છે કારણ કે ચોખા શુક્ર ગ્રહ સાથે સંબંધિત છે. જો રસોડામાં ચોખા ખલાસ થઈ જાય એટલે કે ચોખાનો ડબ્બો ખાલી રહે તો આર્થિક નુકસાન થાય છે.