વૈશાખ માસની અમાસની તિથિ આવતી કાલે એટલે 8 મેના રોજ મંગળવારે છે. પંચાંગ અનુસાર, વૈશાખ મહિનાની અમાસની શરૂઆત આજે 11 વાગ્યાની થઇ ગઈ છે. જે આવતી કાલે 8 વાગ્યાને 41 મિનિટ પર સમાપ્ત થઇ જશે. પરંતુ હિન્દુ ધર્મમાં દિવસની શરૂઆત ઉદયા તિથિથી થાય છે, માટે વૈશાખ અમાસ આવતી કાલે 8 મેના રોજ રહેશે.
જ્યોતિષ અનુસાર, અમાસ તિથિના દિવસે ઘણા દુર્લભ યોગ બની રહ્યા છે. અમાસના દિવસે આ સંયોગ બનવાથી પૃથ્વી પર હાજર બધા જીવો પર પ્રભાવ પડે છે. તો આજની આ ખબરમાં જાણીશું કે વૈશાખ અમાસના દિવસે કયા-કયા શુભ યોગ બની રહ્યા છે અને કઈ કઈ રાશિઓને લાભ થશે.
વૈશાખ અમાસ પર દુર્લભ યોગ
આ વખતે વૈશાખ મહિનાની અમાસ તિથિએ ત્રણ શુભ યોગો બનવા જઈ રહ્યા છે. આ ત્રણ યોગ બનવા જઈ રહ્યા છે – શોભન યોગ, સૌભાગ્ય યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ. તમને જણાવી દઈએ કે સર્વાર્થ સિદ્ધિ યોગ 8 મેના રોજ સવારે 1:35 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 9 મે સવારે 5:30 વાગ્યે સમાપ્ત થશે.
જ્યારે સૌભાગ્ય યોગ આજે એટલે કે 7મી મેના રોજ રાત્રે 9 વાગ્યે શરૂ થઈ રહ્યો છે અને આવતીકાલે એટલે કે 8મીએ સાંજે 5:30 વાગ્યે સમાપ્ત થશે. જ્યોતિષના મતે સૌભાગ્ય યોગ સમાપ્ત થયા બાદ શોમન યોગ પણ શરૂ થશે. જે આખી રાત ચાલશે. બીજા દિવસે સૂર્યોદય પછી શોભન યોગ સમાપ્ત થશે.
આ રાશિના જાતકોને લાભ મળશે
અમાસ પર ત્રણ શુભ સંયોગ બનવાના કારણે, મેષ, વૃષભ અને તુલા રાશિવાળા લોકોનું નસીબ બદલાવાનું છે. એવું માનવામાં આવે છે કે અમાસ પછી આ ત્રણ રાશિઓને વેપારમાં લાભ થશે. સાથે જ કરિયરને લગતી તમામ સમસ્યાઓ દૂર થશે. ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. જીવન સુખમય રહેશે. પૈતૃક સંપત્તિથી આર્થિક લાભ થશે. તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે.
નોકરી કરતા લોકોને મોટી સફળતા મળી શકે છે. ઓફિસમાં તમને નવી જવાબદારીઓ પણ મળી શકે છે. તમે આ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવશો. તમને વરિષ્ઠોનો સહયોગ મળશે. આવકમાં વધારો થવાની પણ સંભાવના છે.