શહેર તથા ગામડામાં આસાનીથી ઉગતા બિલીનું ઝાડના પત્તા અને ફળ ભગવાન શંકરને ખૂબ જ પ્રિય છે. આ ઝાડની છાલ-પત્તાને આયુર્વેદમાં લાભકારી માનવામાં આવે છે. ફળ બહારથી કઠોર હોય છે. તેમાં અંદર રહેલ ભાગનો સ્વાદ થોડો વિચિત્ર હોય છે. તે પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે.
તો વળી બિલીના ફળમાં કેટલાય વિટામિન અને ખનિજ જોવા મળે છે. જેમાં વિટામિન એ, સી, કેલ્શિયમ, રાઈબોફ્લેવિન, ફાઈબર, પોટેશિયમ અને બી6, બી12 હોય છે. તે શરીરના વિકાસમાં લાભકારી માનવામાં આવે છે. આ ઉપરાંત તેના પત્તા પણ ખૂબ જ ગુણોથી ભરપૂર માનવામાં આવે છે.
આ ઝાડના પત્તા અને ફળનું સેવન કરવાથી ત્રણેય દોષ સંતુલિત રહે છે. જેને આયુર્વેદમાં વાત, પિત્ત અને કફ કહેવાય છે. આ ઉપરાંત બિલીનું રોજ સેવન કરવાથી હાઈ બીપી, હ્દયની સમસ્યા અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. પહેલા કાચા બિલીને હળદર અને ઘીમાં નાખીને હાડકા તૂટવા પર લગાવામાં આવતા હતા.
આ ઝાડના પત્તાનું દરરોજ સેવન કરવાથી બીપી, ડાયાબિટીઝની તકલીફો દૂર થઈ જાય છે. તેના પત્તાને પાણીમાં ઉકાળીને પીવાથી ડાયાબિટીઝથી છુટકારો મળી જાય છે. આ ઉપરાંત બિલીનું શરબત પેટ માટે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે.