સનાતન ધર્મમાં માનવ વાળા લોકો કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા મુહૂર્ત જરૂર જુવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, શુભ મુહૂર્તમાં કરવામાં આવેલા કર્યોનું ફળ હંમેશા મળે છે. જો કે વર્ષમાં ચાર મહિના એવા હોય છે, જયારે કોઈ પણ શુભ તેમજ માંગલિક કાર્ય નહિ થાય, જેને ચાતુર્માસ કહેવામાં આવે છે. આ વર્ષે ચાતુર્માસનો પ્રારંભ ક્યારે થશે.
આ સમય દરમિયાન શા માટે શુભ કાર્ય કરવાની મનાઈ છે.
2024માં ચાતુર્માસ ક્યારેથી શરુ થઇ રહ્યો છે?
હિન્દુ પંચાંગ અનુસાર, આ વર્ષે 17 જુલાઈ 2024ના રોજ દેવસૂતી એકાદશી છે. આ દિવસથી ચાતુર્માસનો આરંભ થઇ રહ્યો છે, જેનું સમાપન 12 નવેમ્બર 2024ના રોજ થશે.
ચાતુર્માસમાં કયા માંગલિક કાર્યો કરવામાં આવતા નથી?
ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુ શયન કાળમાં જતા રહે છે એટલે આ સમયે પોતાની આંખ બંધ કરી ધ્યાનમાં બેસે છે. લગભગ ચાર મહિના સુધી ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં રહે છે. આ જ કારણે આ સમયગાળા દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી.
જો કે આ સમયે પૂજા પાથ કરવું શુભ હોય છે. કહેવામાં આવે છે કે જે લોકો આ ચાર મહિના સુધી દેવી-દેવતાઓની પૂજા કરે છે. એમની બધી ઈચ્છા પુરી થાય છે. સાથે જ ઘરમાં સુખ શાંતિ બનેલી રહે છે.
ચાતુર્માસમાં કયા કયા કાર્યો ન કરવા જોઈએ?
ચાતુર્માસ દરમિયાન કોઈ પણ પ્રકારના શુભ કાર્ય જેવા કે, લગ્ન, સગાઇ, ગૃહ પ્રવેશ, નામકરણ વગેરે કરવામાં આવતા નથી. 4 મહિના સુધી ડુંગળી અને લસણ વગેરે તામસિક ભોજન કરવાની પણ મનાઈ હોય છે. આ દરમિયાન જો કોઈ વ્યક્તિ દારૂ પીવે છે, તો એની કુંડળીમાં ગ્રહ પ્રભાવિત થઇ શકે છે.