વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહો સમયાંતરે ગોચર કરીને ત્રિગ્રહી યોગ અને ચતુર્ગ્રહી યોગ બનાવે છે. તમને જણાવી દઇએ કે, હાલ વૈભવના દાતા શુક્ર, વેપારના દાતા બુધ, માયાવી ગ્રહ રાહુ મીન રાશિમાં સંચરણ કરી રહ્યાં છે અને 23 એપ્રિલે ગ્રહોના સેનાપતિ મંગળ મીન રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યાં છે. જેનાથી મીન રાશિમાં ચતુર્ગ્રહી યોગનું નિર્ણાણ થશે.
જેનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે, જેના આ સમયે શુભ દિવસો શરૂ થઇ શકે છે. સાથે જ ધન-સંપત્તિમાં વધારો થઇ શકે છે. ચાલો જાણીએ આ લકી રાશિઓ કઇ છે.
વૃષભ રાશિ
તમારા માટે ચતુર્ગ્રહી યોગ લાભકારક સાબિત થઇ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિના ઇનકમ ભાવ પર રચાશે. તેથી આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઇ શકે છે. સાથે જ આવકના નવા સ્ત્રોત બનશે. તેવામાં જે વેપારીઓ છે તેમને વેપારમાં ખાસ લાભ થશે. નવી બિઝનેસ ડીલ મળી શકે છે અને બિઝનેસમાં જે સમસ્યાઓ હતી, તે દૂર થઇ જશે. તેવામાં આ દરમિયાન તમને રોકાણથી લાભ થશે. સાથે જ તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે અને તમે દબાણની સ્થિતિનો સામનો કરી શકશો. તેવામાં આ સમય તમને શેર બજાર, સટ્ટા અને લોટરીમાં સારો લાભ કરાવી શકે છે.
મિથુન રાશિ
ચતુર્ગ્રહી યોગ તમારા માટે શુભ ફળદાયી સિદ્ધ થઇ શકે છે. કારણ કે આ યોગ તમારી ગોચર કુંડળીના કર્મ ભાવ પર રચાવા જઇ રહ્યો છે. તેથી આ સમયે તમારા નોકરી-બિઝનેસમાં સારી સફળતા મળશે. સાથએ જ જે લોકો સરકારી નોકરી માટે કોઇ પરીક્ષાની તૈયારી કરી રહ્યાં હતાં, તેમની મહેનત રંગ લાવશે અને તેમને સરકારી નોકરી લાગવાના શુભ સમાચાર પણ પ્રાપ્ત થઇ શકે છે. સાથે જ આ સમયે નકરિયાત લોકોની પદોન્નતિ થઇ શકે છે. આ સમયે વેપારીઓને સારો ધનલાભ થઇ શકે છે. નવા ઓર્ડર મળી શકે છે
કર્ક રાશિ
આ રાશિના જાતકો માટે ચતુર્ગ્રહી યોગ અનુકૂળ સિદ્ધ થઇ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિના નવમા ભાવ પર રચાવા જઇ રહ્યો છે. તેથી આ સમયે તમને ભાગ્યનો સાથ મળી શકે છે. તેવામાં પરિવારના લોકોની સાથે પરસ્પર તાલમેલ રહેશે અને વાતાવરણ ખુશહાલ રહેશે. આ સમયે તમે નાની-મોટી યાત્રા કરી શકો છો. આ સમયે તમે ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઇ શકો છો. તેવામાં આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. તમારી મહેનતથી આવકના નવા રસ્તા ખુલશે અને લાભ થશે.