Homeધાર્મિકશાસ્ત્રો મુજબ શ્રી રામનવમીનું...

શાસ્ત્રો મુજબ શ્રી રામનવમીનું મહત્વ

ભગવાન શ્રી રામનો પ્રાગટય દિવસ ખુબ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. ભગવાન શ્રીરામ તથા રામનવમી વિશે શાસ્ત્રોમાં જે માહિતી આપવામાં આવી છે, તેમાંથી સાવ થોડી માહિતી, અતિ સંક્ષેપમાં ભગવદ ભકતો તેમજ શ્રધ્ધાળુઓને ઉપયોગી થાય ફકત તે જ હેતુથી અહીં આવી છે. શ્રી રામનવમી ચૈત્ર સુદ-9 તા.17/4/2024ને બુધવારના રોજ આવે છે.

શાસ્ત્રનું પ્રમાણ

શ્રી નારદ મહાપુરાણ પૂર્વ ભાગ, ચતુર્થપાદ, વકતા: સનાતન (ભગવાન શ્રી બ્રહ્માના માનસપુત્ર), શ્રોતા: શ્રી નારદજી
રામનવમીનો પરિચય
ચૈત્ર મહિનાના શુકલ પક્ષમાં નવમી તિથી ભગવાન શ્રી રામનો પ્રાગટય દિવસ રામનવમી તરીકે ભકિતપૂર્વક ઉજવવામાં આવે છે.
રામનવમીનું વ્રત
જો અનુકુળ હોય તો તે દિવસે વિધિપૂર્વક ઉપવાસ કરવો, અશકત મનુષ્યએ મધ્યાહને શ્રીરામનો જન્મોત્સવ થાય તે પછી એક સમય ભોજન કરવું.
રામનવમીએ દાન
મનુષ્યએ પોતાની શ્રધ્ધા અને શકિત મુજબ ભગવાન શ્રીરામની પ્રસન્નતા માટે બ્રાહ્મણો તથા જરૂરીયાતવાળા લોકોને મિષ્ટાન સહિત અન્નદાન ગાય, ભૂમિ, તલ, સુવર્ણ, વસ્ત્ર અને આભૂષણ વગેરેનું દાન કરવું.
રામનવમીના વ્રતનું ફળ
જે મનુષ્ય આ રીતે ભકિતપૂર્વક શ્રીરામનવમીનું વ્રત કરે છે તે પોતાના પાપોનો શના કરીને શ્રી વિષ્ણુ ભગવાનના પરમધામમાં જાય છે.
શાસ્ત્રનું પ્રમાણ
સ્કંદ મહાપુરાણ- બ્રહ્મખંડ- ચાતુર્માસ મહાત્મ્ય વકતા- ભગવાન શ્રી શંકર શ્રોતા માતા પાર્વતી.
રામ નામનું મહાત્મ્ય
જે પરમાત્મા સ્થાવર-જંગમ-સર્વ પ્રાણીઓમાં અંતર્યામી આત્મારૂપે રમી રહ્યા છે. તે પરમાત્મા રામ કહેવાય છે.
* દેવો પણ રામ નામના ગુણગાન ગાય છે.
* હે દેવી પાર્વતી! તમે પણ રામ નામનો જાપ કરો
* આ પૃથ્વી પર રામ નામથી વધીને કોઈ પાઠ કે જપતપ નથી.
* રામ એ મંત્રનો રાજ છે. તેનાથી સહસ્ત્ર નામોનું ફળ મળે છે.
* રામ એ બે અક્ષરનો મંત્ર સર્વ પાપનો નાશ કરનાર છે.
* મનુષ્ય હરતાં-ફરતાં સુતી વખતે પણ રામ નામનું સ્મરણ કરે તો શ્રીરામની કૃપાથી સુખી થાય છે.
શાસ્ત્રનું પ્રમાણ
શ્રીમદ્ ભગવતી ભાગવત સ્કંધ-9, અધ્યાય-30 વકતા-શ્રી યમરાજ, શ્રોતા સાવિત્રી

રામનવમીના વ્રતનું મહાત્મ્ય
જે મનુષ્ય ભરતખંડમાં રામનવમીનું વ્રત કરે છે તે સાત મન્વંત્રો (1) મન્વંતર બરાબર 30,67,20,000 એટલે કે ત્રીસ કરોડ સડસઠ લાખ વીસ હજાર વર્ષ) સુધી વૈકુંઠમાં આનંદ કરે છે.. મનુષ્ય જન્મ પામીને તે શ્રી રામભકિત મેળવે છે..

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...