Homeહેલ્થપેટની સમસ્યાઓ માટે ઘરેલુ...

પેટની સમસ્યાઓ માટે ઘરેલુ ઉપચાર અજમાવી શકાય છે

 ઘણી વખત મસાલેદાર અને તળેલું ભોજન કરવાના કારણે પેટમાં ગડબડ થઈ જાય છે. વધારે પડતું તળેલું મસાલેદાર અને હેવી ફૂડ ખાવાના કારણે ઘણી વખત એસટીડીટી તો ઘણી વખત ડાયેરિયા સમસ્યા થઈ જાય છે. પેટ ખરાબ થવાના કારણે થયેલી ડાયેરીયા, ઉલટી, એસિડિટી, ગેસ જેવી તકલીફોને મટાડી તુરંત રાહત મેળવવી હોય તો તમે કેટલા ઘરેલુ નુસખા અજમાવી શકો છો.

આજે તમને જે ઘરેલુ નુસખા જણાવીએ છીએ તેને કરવાથી દવા લીધા વિના પેટ સંબંધિત સમસ્યા મટી જશે.

પેટની સમસ્યા દુર કરતા ઘરેલુ નુસખા

હળદરનું પાણી

હળદરમાં કર્ક્યુંમીન નામનું તત્વ હોય છે. હળદરમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ આંતરડામાં આવેલા સોજાને ઓછો કરે છે. સાથે જ ફૂડ પોઈઝનિંગ અને પેટ ફુલવા જેવી સમસ્યાથી પણ આરામ આપે છે. હળદરનું પાણી પીવાથી પેટની સમસ્યા દૂર થાય છે.

ફુદીનાનું પાણી

ફુદીનાનું પાણી પીવાથી પેટ સાફ આવે છે અને પાચન શક્તિ વધે છે સાથે જ ગેસની તકલીફ હોય તો પણ ફાયદો થાય છે. જો સવારથી જ પેટમાં ગેસ અને એસીડીટી હોય તો ફુદીનાના થોડા પાનને પાણીમાં ઉકાળી આ પાણીનું સેવન કરવું. ફુદીનાનું પાણી પીવાથી અપચો, ઉલટી અને ગેસ જેવી સમસ્યા મટી જાય છે.

અજમાનું પાણી

પેટમાં ગેસ અને એસિડિટી હોય તો અજમા પણ રાહત આપે છે. જો તમને રોજ પેટની તકલીફો રહેતી હોય તો થોડા દિવસ સુધી રોજ રાત્રે પાણીમાં અજમા પલાળી સવારે આ પાણીને ગાળીને પી જવું. જો ક્યારેક પેટની તકલીફ થઈ હોય તો અજમાને સાફ કરીને તેનું ચૂર્ણ બનાવીને પણ ખાઈ શકાય છે. તેનાથી પેટનું સ્વાસ્થ્ય સુધરે છે અને આંતરડા હેલ્ધી બને છે.

લસણ

લસણ ડાઈજેસ્ટિવ પાવર વધારે છે. લસણ ગુડ બેક્ટેરિયાને વધારે છે. લસણમાં રહેલા પ્રિબાયોટીક તત્વ ડાયજેશન સંબંધિત સમસ્યાને દૂર કરે છે.

આદુ

આદુ ખાવાથી પણ પાચનશક્તિ સુધરે છે. સાથે જ પાચન સંબંધિત સમસ્યાથી છુટકારો મળે છે. આદુ ખાવાથી પેટમાં હેલ્ધી બેક્ટેરિયા વધે છે અને પેટની સમસ્યા જેમકે બ્લોટીંગ, પેટનો દુખાવો અને અન્ય સમસ્યાથી આરામ મળે છે.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...