- છાતીમાં બળતરા થાય તો તે સમસ્યાને હાર્ટબર્ન કહેવામાં આવે છે
- હાર્ટબર્નની સમસ્યા ના થાય તે માટે ફોલો કરો આ ટિપ્સ
- સૂવો ત્યારે પેટનો એસિડ ઓએસોફેગસમાં જવા લાગે છે
છાતીમાં અથવા પેટના ઉપરના ભાગમાં બળતરા થાય તો તે સમસ્યાને હાર્ટબર્ન કહેવામાં આવે છે. પેટનો એસિડ મોઢાને પેટ સાથે જોડતી નળીમાં જતો રહે ત્યારે આ સમસ્યા થાય છે. એસિડના આ બેક ફ્લોને એસિડ રિફ્લક્સ કહેવામાં આવે છે.
હાર્ટબર્ન થવાનું કારણ
જ્યારે તમે સૂવો ત્યારે પેટનો એસિડ ઓએસોફેગસમાં જવા લાગે છે.
ભારે ભોજન કર્યું હોય અને તમે પછી સૂઈ જાવ તો તે ભોજનની પાચન પ્રક્રિયા ધીમી થાય છે. જેના કારણે પેટમાં રહેલ વસ્તુ ખાલી થવામાં વધુ સમય લાગે છે, જેના કારણે એસિડ રિફ્લક્સની સમસ્યા થાય છે.
હાર્ટબર્નની સમસ્યાથી કેવી રીતે બચી શકાય?
- ચરબીયુક્ત ભોજન, મસાલેદાર ભોજન, ખાટા ફળ, ટામેટાની વસ્તુ, ચોકલેટ, કેફીન અથવા કાર્બોનેટેડ પીણાને કારમે લોઅર એસોફેજિયલ સ્ફિંક્ટરને આરામ આપે છે. જેથી હાર્ટબર્નની સમસ્યા થતી નથી.
- એકસાથે ભોજન કરવાની જગ્યાએ જગ્યાએ થોડા થોડા સમયે વારંવાર ભોજન કરવાથી હાર્ટબર્નની સમસ્યા થતી નથી.
- જે ડાયટના કારણે હાર્ટમાં બળતરા થતી હોય તેવા ભોજનનું સેવન ના કરવું.
- સૂવો તેના બેથી ત્રણ કલાક પહેલા ભોજન કરો. જેથી એસિડ રિફ્લક્સની સમસ્યા થવાની સંભાવના ઓછી રહે છે.
- આદુવાળી ચા પીવો, જેથી એસિડ રિફ્લક્સની સમસ્યા ના થાય.