ઘણી વખત જોવામાં આવે છે કે, કોઈ વ્યક્તિ ખૂબ કમાય છે, પરંતુ ઘણી કમાણી કરવા છતાં તે આજીવન દેવામાં ડૂબેલો રહે છે અથવા તો તેના ઘરમાં દરિદ્રતા રહે છે. આખરે એક વ્યક્તિ સાથે આવું કેમ થાય છે? આ વિશે માહિતી જ્યોતિષશાસ્ત્રમાં આપેલી છે. કેટલાક લોકો એવા પણ હોય છે, જેમની ઉપર માતા લક્ષ્મી ગુસ્સે હોય છે, તેવા વ્યક્તિને આ સમસ્યા થઈ શકે છે.
લાખોની કમાણી કરવા છતાં આવા વ્યક્તિ પાસે પૈસા હોતા નથી. તે હંમેશા દેવામાં ડૂબેલો રહે છે.
આળસુ વ્યક્તિ સાથે લક્ષ્મી માતા રહેતી નથી
માતા લક્ષ્મી ક્યારેય આવી વ્યક્તિ સાથે નથી રહેતી, જે આળસુ હોય છે. આળસુ લોકો પાસે ક્યારેય પૈસા હોતા નથી. ભગવાન નારાયણ જ્યારે ચાર મહિના આરામમાં હોય છે, ત્યારે માતા લક્ષ્મી પણ તેમને છોડીને ભગવાન ગણેશ સાથે રહેવા જાય છે. જે આળસુ વ્યક્તિ વધારે ઊંઘે છે, તેની પાસે પણ માતા લક્ષ્મી રહેતી નથી.
આવો વ્યક્તિ હંમેશા દેવામાં ડૂબેલો રહે છે
આ સિવાય જે વ્યક્તિ ખૂબ જ ગંદી રીતે રહે છે. ફાટેલા, જૂના કે ગંદા કપડા પહેરતો હોય અથવા 2-4 દિવસ સુધી નહાતો ન હોય, તેવા વ્યક્તિ ઉપર પણ માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. જે વ્યક્તિ સૂર્યોદય પહેલાં ઉઠતો નથી, સવારે 10 અને 11 વાગ્યે ઉઠે છે, જે પોતાનું મોઢું બરાબર સાફ કરતો નથી, જેના શરીરમાંથી વાસ આવે છે, તેના ઉપર પણ માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. માતા લક્ષ્મી આવા વ્યક્તિ પાસે જતી નથી. તે જે પણ કમાય છે, તેના પૈસા ખલાસ થઈ જાય છે અને તે દેવામાં ડૂબેલો રહે છે.
સ્ત્રીઓનું અપમાન કરવાથી ગુસ્સે થાય છે માતા લક્ષ્મી
સંતોષ ધ્યાન દોરે છે કે, ખાસ કરીને જે પુરુષો સ્ત્રીઓનું અપમાન કરે છે. જે પુરુષને મહિલા સાથે દુર્વ્યવહાર કરવાની તેમજ ઘરેલું હિંસા કરવાની ટેવ હોય છે, તેના ઘરમાં પણ લક્ષ્મી માતા ટકતી નથી. આ વાત મહિલાઓ ઉપર પણ લાગુ પડે છે. જો લક્ષ્મી માતા નારાજ થાય, તો તેના ઘરમાં અને જીવનમાં દરિદ્રતા અને દેવાની સ્થિતિ આવે છે. લોકોએ શક્ય હોય, તેટલી વહેલી તકે આ તેમની આદત સુધારવી જોઈએ.