- ઘરમાં દરરોજ 2 કે 4 રોટલી વધતી જ હોય છે.
- વાસી રોટલી ખાવાથી શું ફાયદો થાય છે?
- આ રીતે કરો વાસી રોટલીનું સેવન
ઘરમાં દરરોજ 2 કે 4 રોટલી વધતી જ હોય છે. અનેક બીજા દિવસે સવારે તે રોટલી ખાતા હોય છે અથવા ફેંકી દે છે. વાસી રોટલી એ તાજી રોટલીની સરખામણીએ વધુ તાકતવર હોય છે. વાસી રોટલીમાં ગુડ બેક્ટેરિયા, કાર્બોહાઈડ્રેટ અને ફાઈબર હોય છે. વાસી રોટલી ખાવાથી શું ફાયદો થાય છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
મજબૂતી પ્રદાન કરે છે
વાસી રોટલી શરીર માટે હેલ્ધી માનવામાં આવે છે, જેથી શરીરને એનર્જી મળે છે. આ કારણોસર સવારે નાશ્તામાં રાતની વધેલી રોટલી ખાવી તે સારી માનવામાં આવે છે. જેથી પેટ વધુ સમય સુધી ભરેલુ રહે છે. ડાયાબિટીસના દર્દીઓએ બેસનની રોટલી ખાવી જોઈએ.
કબજિયાત થતી નથી
વાસી રોટલીમાં ફાઈબર વધુ હોય છે, જે હેલ્થ માટે સારું માનવામાં આવે છે. ફાઈબરથી પાચન સારું થાય છે અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે. પેટ ફૂલવાની સમસ્યા થતી નથી અને ગેસની સમસ્યાથી રાહત મળે છે.
વજન ઓછુ થાય છે
અનેક રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, તાજી રોટલીની સરખામણીએ વાસી રોટલીમાં કેલરી ઓછી ગોય છે. વાસી રોટલી નરમ રહેતી નથી, જેથી કેલરી પણ ઓછી હોય છે. જેથી તમે ડાયટમાં લો કાર્બ વેઈટ લોસ ડાયટમાં શામેલ કરી શકો છો.
મસલ્સ સ્ટ્રોંગ થશે
રોટલીમાં રહેલ પોષકતત્ત્વોથી મસલ્સ સ્ટ્રોંગ થાય છે. કસરત કરતા લોકો માટે આ ડાયટને ખાસ માનવામાં આવે છે. વાસી રોટલી માંસપેશીઓ મજબૂત કરવામાં મદદ કરે છે.
ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે
લોટ અથવા અનાજ વધુ સમય સુધી રાખવામાં આવે તો યૌગિક જીવાણુનો વિકાસ થાય છે. વાસી રોટલીમાં આખી રાતમાં પ્રીબાયોટિક બનવા લાગે છે, જે ઈમ્યૂન સિસ્ટમ માટે સારી માનવામાં આવે છે.
વાસી રોટલીનું સેવન કેવી રીતે કરવું?
વાસી રોટલીથી અનેક રેસિપી બનાવવામાં આવે છે. તમે વાસી રોટલી ગરમ દૂધ સાથે ખાઈ શકો છો અથવા ખીર બનાવી લો. વાસી રોટલી વઘારીને પણ તેનું સેવન કરી શકો છો.