દરેકના ઘરમાં કેલેન્ડર અવશ્ય જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, કેલેન્ડર મનુષ્યની પ્રગતિ અને સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ, કેલેન્ડરને હંમેશા યોગ્ય દિશામાં સ્થાપિત કરવું જોઈએ. જો તમે કેલેન્ડરને ખોટી દિશામાં મૂકશો, તો તમને વિપરીત અસર થવા લાગશે. આ વસ્તુનો ઉલ્લેખ કલાચક્ર બિંદુ પુસ્તકમાં પણ આપવામાં આવ્યું છે, વાસ્તુશાસ્ત્રમાં પણ આ વિશે માહિતી આપે છે.
જો તમે વાસ્તુશાસ્ત્રને માનતા હોવ, તો આ બાબતનું અચૂક ધ્યાન રાખવું જોઈએ.
આ દિશામાં મૂકી શકાય છે કેલેન્ડર
બુરહાનપુરના પંડિત શૈલેન્દ્ર મુખિયાએ જણાવ્યું હતું કે, કેલેન્ડર કઈ દિશામાં મૂકવું જોઈએ અને શાસ્ત્રમાં કેલેન્ડર રાખવા અંગે શું માહિતી આપવામાં આવી છે. શાસ્ત્રો મુજબ, જો કેલેન્ડરને ઘરમાં મુકવામાં આવે, તો ઘરમાં ઊર્જા, ધન અને સ્વાસ્થ્ય ઠીક રહે છે. કેલેન્ડરને પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં સ્થાપિત કરી શકાય છે. કેલેન્ડરને પૂર્વ દિશામાં મુકવાથી ખ્યાતિ મળે છે, પરિવારમાં દરેક વ્યક્તિ ઊર્જાવાન બને છે અને સમયનું શુભ ચક્ર ચાલે છે. ઉત્તર દિશામાં કેલેન્ડર મૂકવાથી વ્યક્તિને ધન અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. પશ્ચિમ દિશામાં કેલેન્ડર મૂકવાથી બાળકોને અભ્યાસ કરવાની શક્તિ મળે છે.
આ દિશામાં ન મૂકો કેલેન્ડર
કેલેન્ડરને દક્ષિણ દિશામાં મૂકવાથી મધ્યમ ફળની પ્રાપ્તિ થાય છે. માનવજીવન ઉપર વિપરીત અસર થાય છે અને ધન હાનિ થવાની સંભાવના વધી જાય છે. આનું વર્ણન કાલચક્ર બિંદુમાં કરવામાં આવ્યું છે. આથી દક્ષિત દિશામાં કેલેન્ડર ન મૂકવું જોઈએ.
શુભ મુર્હૂતમાં ઘરે વસાવવું કેલેન્ડર
શુભ સમય અનુસાર કેલેન્ડર મૂકવું જોઈએ. શુભ સમયે અને યોગ્ય દિશામાં મૂકવામાં આવેલું કેલેન્ડર પરિવારમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સુખ આપે છે. માટે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.