Homeધાર્મિકસંકટ ચોથ પર ચંદ્રની...

સંકટ ચોથ પર ચંદ્રની પૂજા શા માટે કરવામાં આવે છે? અર્ઘ્ય અર્પણ આપવાનું મહત્વ જાણો

આ વર્ષે સંકટ ચોથનું વ્રત 29 જાન્યુઆરી સોમવારના રોજ છે. તે દિવસે માતાઓ તેમના બાળકોની સુરક્ષા અને સુખી જીવન માટે નિર્જળા વ્રત કરે છે. જે વ્યક્તિ આ દિવસે વ્રત રાખે છે અને ભગવાન ગણેશની પૂજા કરે છે, તેની પરેશાનીઓ દૂર થાય છે. જોકે, સંકટ ચોથના વ્રત દરમિયાન ચંદ્રની પૂજા કરવી અનિવાર્ય છે. કાશીના જ્યોતિષી ચક્રપાણિ ભટ્ટ જણાવે છે કે શા માટે સંકટ ચોથ પર ચંદ્રની પૂજા કરવામાં આવે છે.

સંકટ ચોથના દિવસે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવાની વિધિ શું છે? ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવાનો મંત્ર શું છે?

શા માટે આપણે સંકટ ચોથ પર ચંદ્રની પૂજા કરીએ છીએ?
ધાર્મિક માન્યતાઓ અનુસાર સંકષ્ટી ચતુર્થી પર ચંદ્રની પૂજા કરવામાં આવે છે અને વિનાયક ચતુર્થી પર ચંદ્રનું દર્શન વર્જિત છે. તેની પાછળનું કારણ ગણેશજી દ્વારા ચંદ્ર દેવને આપવામાં આવેલ શ્રાપ છે. જ્યારે ભગવાન ગણેશને હાથીનું મુખ લગાવવામાં આવ્યું ત્યારે ચંદ્રદેવ હસી રહ્યાં હતા. તેમને તેમની સુંદરતા પર ઘમંડ હતો.

ત્યારે ગણેશજીએ તેમને શ્રાપ આપ્યો કે તે તેની ચમક ગુમાવશે અને જે કોઈ ભાદ્રપદ શુક્લ ચતુર્થીના દિવસે ચંદ્રને જોશે તેને કલંક લાગી જશે. આ શ્રાપને કારણે ચંદ્રદેવ તેજહીન બની ગયા હતાં. પછી જ્યારે તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે તેણે ભગવાન ગણેશ પાસે ક્ષમા માંગી અને શ્રાપમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ પૂછ્યો.

ગણેશજીએ કહ્યું કે શ્રાપ દૂર નહીં થાય. પણ ચંદ્ર દેવ, શુક્લ પક્ષમાં 15 દિવસ તમારું તેજ વધશે અને પછી કૃષ્ણ પક્ષમાં 15 દિવસ સુધી ઘટશે. પૂર્ણિમાના દિવસે, તમે 16 કળાઓથી પૂર્ણ થઇને આકાશમાં ચમકશો. જે કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે વ્રત રાખે છે અને તેની પૂજા કરે છે તેણે પણ રાત્રે ચંદ્રની પૂજા કરવી પડશે. આના વિના વ્રત પૂર્ણ નહીં થાય.

અન્ય એક કથા છે. તેમાં ભગવાન શિવે ગણેશજીને દેવતાઓના સંકટ દૂર કરવાનો આદેશ આપ્યો હતો. તેની સાથે એક વરદાન આપવામાં આવ્યું હતું કે જે કોઈ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરશે અને ચંદ્રને અર્ઘ્ય ચઢાવશે તેના સંકટ દૂર થઈ જશે.

સંકટ ચોથ પર ચંદ્રમાને અર્ઘ્ય આપવાની વિધિ
સંકટ ચોથની રાતે ચંદ્રમા 09.10 વાગ્યે નીકળશે. ત્યારે તમે ચાંદીના ગ્લાસ અથવા લોટામાં જળ ભરી લો. પછી તેમાં ગાયનું કાચુ દૂધ, અક્ષત અને સફેદ ફૂલ નાંખી દો. તે બાદ ચંદ્ર દેવનું સ્મરણ કરીને તેમને અર્ઘ્ય આપો. તમારા સંકટને દૂર કરવા અને સંતાનના સુખી જીવન માટે પ્રાર્થના કરો.

ચંદ્રમાને અર્ઘ્ય આપવાનો મંત્ર
ગગનાર્ણવમાણિક્ય ચંદ્ર દાક્ષાયણીપતે।
ગૃહાણાર્ઘ્યં મયા દત્તં ગણેશપ્રતિરૂપક॥

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...